________________
| ઉપધાનક્ષત અધ્ય-૯, ૩ : ૨
૩૫૩
નીચે પણ રહેતા હતા. | ४ एतेहिं मुणी सयणेहिं, समणे आसि पतेरस वासे ।
राइदिवं पि जयमाणे, अप्पमत्ते समाहिए झाइ ॥ શબ્દાર્થ :- પત્તરસંવાલે = ઉત્કૃષ્ટ તેર વર્ષ સુધી અર્થાત્ તેરવર્ષથી કંઈક ઓછું, રાફલિવું = રાત દિન, ગામને સંયમ અનુષ્ઠાનમાં યત્નાવાન રહેતા હતા. ભાવાર્થ :- મુનીશ્વર મહાવીર આ પૂર્વોક્ત શય્યા સ્થાનોમાં સાધના કાળના બાર વર્ષ, પાંચ માસ, પંદર દિવસ સુધી હંમેશાં પ્રત્યેક પ્રવૃત્તિમાં યત્નાશીલ થઈને રહ્યા હતા અને અપ્રમત્ત ભાવથી સમાધિ પૂર્વક ધ્યાન કરતા હતા. વિવેચન :
આ ગાથાઓમાં ભગવાને વિહાર કરતાં જે જે સ્થાનોમાં નિવાસ કર્યો હતો અને જ્યાં ધ્યાન સાધના કરી હતી તેનું વર્ણન કર્યું છે. તે સ્થાન આ પ્રમાણે છે– (૧) ખંડેર (૨) સભા ભવન (૩) પરબ (૪) દુકાન (૫) કારખાના (૬) મંચ (૭) પ્રવાસી ગૃહ(ધર્મશાળા) (૮) આરામગૃહ (૯) ગામ કે નગર (૧૦) શ્મશાન (૧૧) શૂન્યઘર (૧૨) વૃક્ષની નીચે.
આ પ્રકારના નિવાસ સ્થાનોના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે કે તીર્થકર અથવા શ્રમણોના નિવાસ સ્થાનના સંબંધમાં કોઈ એકાંતિક આગ્રહ હોતો નથી. ભગવતી સુત્ર શતક ૧૫ વગેરેથી પણ આ વાતની પુષ્ટી થાય છે જે લોકો કહે છે કે પહેલાંના જૈન શ્રમણો જંગલમાં અને નગરની બહાર રહેતા હતા. કાલક્રમે શિથિલતા થવાથી તેઓ ગામ કે નગરની અંદર રહેવા લાગ્યા. આ કથન કલ્પિત છે અને તે લોકોની આગમ જ્ઞાનની અપૂર્ણતા અથવા ભ્રમણાને જ પ્રગટ કરે છે. જૈન શ્રમણ પ્રસંગનુસાર ગામ નગરની બહાર કે અંદર, જંગલમાં કે ધર્મશાળામાં સંયમ સાધનામાં અબાધક કોઈ પણ સ્થાનમાં રહી શકે છે. તીર્થકર પણ કોઈ સ્થાનમાં રહી શકે છે અને વ્યક્તિગત સ્થાન પણ સંયમાનુકૂળ હોય તો ત્યાં પણ રહી શકે છે. ભગવાન મહાવીરનું અંતિમ ચાતુર્માસ વ્યક્તિગત હસ્તીશાળામાં થયું હતું. ભગવાનની નિદ્રા અને અપ્રમત્ત દશા :| ५ णि पिणो पगामाए, सेवइ भगवं उठाए।
जग्गावई य अप्पाणं, ईसिं साई आसी अपडिण्णे ॥ શબ્દાર્થ :-ળ પિકનિદ્રાનું પણ,
પ ણ અત્યધિક, ૩૬ = પરંતુ જલ્દી ઊઠીને, નવરું = જાગૃત કરી લેતા હતા, ધર્મ જાગરણ કરતા હતા, તલ્લીન રહેતા હતા પરંતુ, હું સારું = ક્યારેક કિંચિત્ શયન કરી લેતા હતા, પuિ = અધિક સમયના આગ્રહ વિના અથવા હંમેશાં સૂવું કે અમુક સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org