________________
| ૧૫૪ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
સહિતનઃ (૧) સર્વજ્ઞ અરિહંત દેવની પ્રાણી માત્ર ઉપર સમત્વદષ્ટિ હોય છે. તે સર્વને આત્મ સમાન જાણે છે, જુએ છે, માટે તે સમત્વ છે. (૨) પ્રત્યેક વસ્તુ, વ્યક્તિ, વિચારધારા, ઘટના આદિના ઊંડાણમાં જઇને તેની સચ્ચાઇને યથાર્થરૂપે જાણે છે, જુએ છે માટે તે સગર્જી છે. (૩) સર્વજ્ઞ હોવાને કારણે તે સમસ્તદર્શી અને સર્વદર્શી પણ છે.
સત્તલિખો :- નો બીજો અર્થ એ પણ થાય છે કે ઉપર કહેલ ધર્મવેત્તા 'મૃતાર્યા આરંભ ત્યાગી સાધક સમત્વદર્શી કહેવાય છે.
અહીં સવ્વલ ના બે પ્રકારે અર્થ થાય છે– (૧) કર્મોનો સંપૂર્ણતયા ત્યાગ કરવો જોઈએ. (૨) પરિજ્ઞાથી કર્મોને સર્વપ્રકારે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરવો જોઈએ. કર્મોને સર્વ પ્રકારે જાણવું અર્થાત્ કર્મોનું લક્ષણ, તેના બંધનના કારણો, તેની મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૧૪૮, તેમજ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશરૂપે ચાર પ્રકારનો બંધ તથા સમસ્ત બાંધેલા કર્મોને ક્ષય કરવાના ઉપાયો ઈત્યાદિ. આ રીતે મોક્ષાર્થી સાધકે કર્મોનું સમસ્ત જ્ઞાન મેળવવું જોઈએ અને કર્મથી મુક્ત થવાનો પુરુષાર્થ કરવો જોઈએ. શરીર નિર્મોહ આરાધના :| ३ इह आणाकंखी पंडिए अणिहे एगमप्पाणं संपेहाए धुणे सरीरं, कसेहि अप्पाणं, जरेहि अप्पाणं । जहा जुण्णाई कट्ठाई हव्ववाहो पमत्थइ एवं अत्तसमाहिए अणिहे। શબ્દાર્થ – રૂદ = આ જૈનશાસનમાં, માહી = આજ્ઞાના આરાધક, ઉપદે = અલિપ્ત, , = એક માત્ર, અMાળ = આત્માને, પેદા = સમ્યક રીતે જાણીને, સારું = કાશ્મણ શરીરને, ધુળ = દુર્બળ કરે, દિ અખા = પોતાના શરીરને કૃશ કરે, અખા નજીદં= પોતાના શરીરને જીર્ણ કરે, નહીં = જેવી રીતે, ગુખ્યા કૂા= જીર્ણ લાકડાને, હળવાહો = અગ્નિ, પત્થ = બાળે છે, પર્વ = આ પ્રમાણે, અત્તરમાણ = આત્મસમાધિ અનુસાર મુનિ કર્મક્ષય કરે પરંતુ, અગિફ્ટ = શરીર પ્રત્યે રાગ ન કરે. ભાવાર્થ :- અહીં અહંતુ પ્રવચનમાં જિનાજ્ઞાની આરાધનાના ઇચ્છુક પંડિત સાધક શરીર પ્રત્યે સ્નેહ રહિત થઈને એકમાત્ર આત્માને સમ્યક રીતે જાણીને કર્મશરીરને કૃશ કરે. હે આર્ય! તપશ્ચર્યાથી પોતાના કષાયાત્માને કશ કર, જીર્ણ કર. જેવી રીતે અગ્નિ જીર્ણ કાષ્ઠને જલદી બાળી નાખે છે, તેવીજ રીતે મુનિવર શરીરના માધ્યમથી કર્મોનો નાશ કરે, કર્મશરીરને (તપ ધ્યાનની અગ્નિથી) જલદી બાળી નાખે છે પરંતુ શરીરનું મમત્વ કરે નહીં. એવી રીતે હે આર્ય! તું પણ આત્મ સમાધિનું ધ્યાન રાખે પરંતુ શરીર પ્રત્યે મમત્વ ન રાખ. વિવેચન :આગાહી :- સર્વજ્ઞના ઉપદેશ અનુસાર અનુષ્ઠાન કરનાર, આગમ આદેશોનું પૂર્ણ લક્ષ્ય રાખનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org