________________
| લોક વિજય અધ્ય-૨, ૩ઃ૪.
[ ૭૩ ]
આ તારું = આ સ્ત્રીઓ વગેરે ઉપભોગના સાધનો છે, નર-જિલ્લા = નરકમાંથી નીકળી તિર્યંચ યોનિ માટે હોય છે, = નિરંતર, ગામના = જાણતા નથી. ભાવાર્થ :- આ સંસારના પ્રાણીઓ સ્ત્રીઓના મોહથી પીડિત છે. હે શિષ્ય! તે કામી પુરુષ આ પ્રકારે કથન કરે છે કે- સંસારમાં જે સ્ત્રીઓ છે તે આયતન–સુખભોગનું સ્થાન છે અર્થાત્ આ સ્ત્રીઓ જ મનુષ્યના માટે સુખ રૂપ છે, સુખનો ભંડાર છે. (No life without wife) પરંતુ તેઓની સ્ત્રીના પ્રત્યેની આ આસક્તિ તેઓના દુઃખના કારણરૂપ તેમજ મોહ, મૃત્યુ અને નરકના કારણરૂપ થાય છે તથા નરક અને તિર્યંચ ગતિમાં ક્રમથી ભ્રમણ કરાવનાર થાય છે. તોપણ આ આસક્તિમાં સતત મૂઢ રહેનારા મનુષ્ય ધર્મને જાણતો નથી. વિવેચન :
સૂત્રમાં મનુષ્યની કામેચ્છાના સ્વરૂપને પ્રગટ કરતા કહ્યું છે કે આ સંપૂર્ણ સંસાર કામથી પીડિત છે, પરાજિત છે. સ્ત્રી એ કામનું રૂપ છે તેથી કામી વ્યક્તિ સ્ત્રીઓથી પરાજિત બને છે અને સ્ત્રીઓને ભોગની સામગ્રી માનીને નિકૃષ્ટ ભાવનાથી ઘેરાઈ જાય છે. આયતન - આ શબ્દ અહીં ભોગ સામગ્રી, ભોગ સાધન અથવા સુખના સ્થાનરૂપ એવા અર્થમાં છે. આગમોમાં તથા ટીકા ગ્રંથોમાં 'આયતન' શબ્દ પ્રસંગાનુસાર અલગ અલગ અર્થોમાં વપરાય છે, જેમ કેગુણોનો આશ્રય, ભવન, ગૃહ, સ્થાન, દેવ યક્ષાદિનું સ્થાન દેવકુલ, જ્ઞાન, દર્શન, ચારિત્રધારી સાધુ, તેમજ જ્ઞાનીજનોને મળવાનું સ્થાન. દુહાણ - સ્ત્રીઓને આયતન–ભોગ સામગ્રી માનીને અર્થાત્ સુખનું સાધન કે સુખમૂલક માનીને તેના ભોગમાં લેપાઈ જવું તે દુઃખનું કારણ છે તથા તે મોહ, મૃત્યુ, નરક તેમજ નરક–તિર્યંચગતિમાં ભવ ભ્રમણનું કારણ છે. ગર-તિથિ :- 'નરક–તિર્યંચગતિ' આ બંને શબ્દોને સાથે આપવાનો સાર એ છે કે–નરકથી નીકળીને તિર્યંચ ગતિમાં જવું અને ત્યાંથી નીકળી ફરી નરક ગતિમાં જવું, આ રીતે ભવભ્રમણ કરવું. મોહસ્થાનમાં જાગૃતિ :| ४ उदाहु वीरे अप्पमाओ महामोहे, अलं कुसलस्स पमाएणं, संतिमरणं संपेहाए भेउरधम्म संपेहाए । णालं पास । अलं ते ए तेहिं । एयं पास मुणि ! महब्भयं । णाइवाएज्ज कं च णं । एस वीरे पसंसिए जे ण णिव्विज्जइ आयाणाए ।
શબ્દાર્થ :- ૩ઃાદ = કહ્યું છે કે, વરે = ભગવાન મહાવીરે, અપ્પમનો = અપ્રમત્ત બનવું, મહામોહે = મહામોહરૂપ સ્ત્રીઓમાં, અd = દૂર રહેવું જોઈએ, બચવું જોઈએ, સમર્થ, વસતસ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org