SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ બીજું અધ્યયન પરિચય RsOrlag, shag 2,0700g) આ અધ્યયનનું પ્રસિદ્ધ નામ લોક વિજય છે. પ્રથમ અધ્યયનમાં અહિંસામૂલક ધર્મનું વર્ણન કરીને આ બીજા અધ્યયનમાં લોકવિજયનું વર્ણન કર્યું છે. આ અધ્યયનના 'લોકવિજય' નામમાં 'લોક' શબ્દથી ભાવલોકનું ગ્રહણ કરવામાં આવે છે. રાગ–દ્વેષ, ક્રોધાદિ કષાયો ભાવલોક કહેવાય છે. રાગ–દ્વેષથી કર્મબંધન અને કર્મબંધનના કારણે ચારે ગતિમાં પરિભ્રમણ થતું રહે છે. ચારે ગતિના પરિભ્રમણને જ સંસાર કહેવામાં આવે છે. આ સંસાર, સંબંધો અને સંયોગો, તે દ્રવ્યલોક કહેવાય છે. ભાવલોક કષાયરૂપ પર વિજય મેળવી લેવાથી દ્રવ્યલોક પર વિજય મળી જ જાય છે. જીવનું સંસરણ અટકી જાય છે. આ અધ્યયનમાં કષાયાદિ પર વિજય મેળવવાની તેની ચાવીઓ છે તેથી લોકવિજય નામ સાર્થક છે. કેટલાક વિદ્વાનોનું કથન છે કે આ અઘ્યયનનું પ્રાચીન નામ 'લોકવિચય' હોવું જોઈએ. પ્રાકૃત ભાષામાં 'ચ'ના સ્થાને 'જ' થઈ જાય છે. જ્યારે ટીકાકારે 'વિજય' ને 'વિચય' નહિ માનતા 'વિજય' એ નામ જ આપ્યું છે. વિચય એ ધર્મધ્યાનનો એક ભેદ છે. તેનો અર્થ છે ચિંતન કરવું, શોધવું તથા ચારે બાજુથી નિરીક્ષણ કરવું. વિજયનો અર્થ છે પરાક્રમ, પુરુષાર્થ તથા આત્મનિયંત્રણ. આ અધ્યયનનો ભાવ જોતા એમ લાગે છે કે એનું 'વિચય' નામ પણ સાર્થક છે કારણ કે એમાં સંસાર, એનું સ્વરૂપ, શરીરનો ક્ષણભુંગર સ્વભાવ, જ્ઞાતિજનોની અશરણતા, ઈન્દ્રિય વિષયરૂપ પદાર્થોની અનિત્યતતા આદિનો વિચાર કરતાં આસક્તિનાં બંધન તોડવાની હૃદયસ્પર્શી પ્રેરણા આપી છે. આજ્ઞા વિચય, અપાય વિચય આદિ ધર્મધ્યાનના ભેદોમાં પણ આ પ્રકારનું ચિંતન મુખ્ય રહ્યું છે તેથી 'વિચય' એ નામની પણ સફળતા સિદ્ધ થઈ જાય છે. સંયમમાં પુરુષાર્થ, અપ્રમાદભાવ તથા સાધનામાં આગળ વધવાની પ્રેરણા તેમજ કષાયાદિ અંતરંગ શત્રુઓ પર 'વિજય' પ્રાપ્ત કરવાનો ઉપદેશ પણ આ અધ્યયનમાં વિશેષ રૂપથી દેખાય છે તેથી 'વિજય' નામ પણ સાર્થક છે. વિષય– ધ્યાનનું તેમજ નિર્વેદનું પ્રતિક છે, વિનય– પરાક્રમ અને પુરુષાર્થનું બોધક છે. Jain Education International નિર્યુક્તિમાં લોક શબ્દનો આઠ પ્રકારે નિક્ષેપ કર્યો છે તે આ પ્રમાણે છે – (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય (૪) ક્ષેત્ર (૫) કાળ (૬) ભાવ (૭) ભવ (૮) પર્યાય. અહીં 'ભાવલોક'નો પ્રસંગ છે. નિર્યુક્તિકારે પણ કહ્યું છે કે– માવે સાયલોનો, આહિરો તસ્સ વિજ્ઞળ । ક્રોધ, માન, માયા, લોભ આદિ કષાયરૂપ ભાવલોકના વિજયનો અધિકાર છે કારણ કે કષાય લોક ઉપર વિજય પ્રાપ્ત કરનાર સાધક For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy