SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણ અહિંસાને પાલક જેમાં જીવહિંસા થતી હોય તેવાં સાધને–ચરબીયુક્ત કપડાં, લીવરનાં ઇજેકશને, કેડલીવર ઓઈલ, ક્રમના બૂટ ન વાપરે. અહિંસા વિના મનની સ્વસ્થતા જળવાય નહીં. અહિંસા સાથે સાદાઈને સત્યની માવજત કરવાની છે. સાદાઈથી મન સરળ બને છે. કપડાં ઉંમરને શેલે તેવાં પહેરવાનાં છે. ઉદુભટ પહેરવેશ પહેરવાનું નથી. આથી મનમાં ગ્લાનિ લાવવાની નથી. ચિત્તને સંયમમાં રાખવાનું છે. સામાયિકમાં સમતા ને સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મચર્યની જરૂર છે. સંયમીના મુખ પર કાતિ હોય છે. તેના આત્મામાં પવિત્રતાને પમરાટ હોય છે. જેટલું બ્રહ્મચર્યનું તેજ સંચિત થાય તેટલું મગજ સરસ કામ આપે છે. તેમાં વિચાર-વિકલ્પ આવતા નથી. કરેલ જળની માફક સુંદર લાગે છે. દૂધ ઠરે તે જ દહીં બને છે. મગજ શાંત થાય તે જ ગૂંચને ઉકેલ મળે છે. તેથી કેટલાય પ્રશ્નોને જવાબ બાદ મુદ્દતે મળી આવે છે. સામાયિક એ જ જીવનનું લક્ષ હોવું જોઈએ, તેથી જીવન સમતાથી સભર બનશે. રાગદ્વેષનાં કબ્દો હેરાન નહીં કરી શકે. તે વખતે જે અનન્ય આનંદ આવશે, તેથી જે પ્રસન્નતાની સુરખી મુખ પર વિલસી રહેશે તે અદ્ભુત અને અનન્ય હશે. For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy