________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ચમત્કાર થઈ જાય છે. ધર્મ તે મોક્ષ અપાવી શકે છે. તે સાંસારિક સુખ અપાવી શકે તેમાં કાંઈ નવાઈ નથી.
અંબડ જ્યારે શ્રાવક બન્યા. ત્યારે સુલસાએ તેનું સ્વાગત કર્યું. જ્યારે બ્રહ્માનું સ્વરૂપ કર્યું, વિષ્ણુ સ્વરૂપ દર્શાવ્યું, પરંતુ સુલભા તે પ્રતિ ન ખેંચાઈ. આભાસી મહાવીર બન્યું. અને સુલભા ચલિત ન થઈ ત્યારે અંબડ છેવટે સુલભા પાસે આવ્યા ને સાચું જ્ઞાન જાણ્યું. સંસ્કાર હતા તે સમાધાન થયું : આથી એ જ્ઞાન થાય છે કે આત્મા અમર છે, આત્મા નિત્ય છે. આખા જગતનો નાશ થઈ જાય, પણ આત્માને કદી નાશ થતો નથી. શરીર માટીમાં મળી જાય છે, આત્મા માટીમાં મળી જતું નથી. જગતના વિનશ્વર પદાર્થો જ્યારે નહીં હોય, ત્યારે પણ આત્મા તે અખંડ રહેવાનું જ છે. પારાના કટકા કરે તે પણ અંતે તે પારે પાછે મળી જ જવાને છે.
ઇદ્રિનાં સુખે આત્માએ ભેગવેલાં છે. નરકતિર્યંચનાં દુઃખે પણ આત્માએ ભેગવેલાં છે, પણ મન બધું ભૂલી જાય છે. જે આત્માનું સ્વરૂપ છે, તે આપણે ભૂલી જઈએ છીએ. આ જીવે ઘણું સુખ ભોગવ્યાં છે. રાજાનાંરાણીનાં-દેવનાં–દેવીઓનાં સુખ અનંતી વાર ભેગવ્યાં છતાં પણ તૃપ્તિ થઈ નથી–થતી નથી. આત્મા તે નિત્ય છે. તે સદાકાળ રહેવાને છે. તેની નિત્યતા સમજવા માટે પ્રભુની વાણી સાંભળવી જોઈએ. સાંભળ્યા પછી શ્રદ્ધા થવી
૧
For Private And Personal Use Only