________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આત્મવિકાસ માટે જ્ઞાનની જરૂર છે. તે જ્ઞાનપ્રાપ્તિ થાય છે જ્ઞાની પાસે. ગુરુ આપણને જે કહે છે, તે મીઠું નથી કહેતા, પણ સત્ય કહે છે. આગમ અને અરીસા અને સાચુ અતાવે છે. ચહેરાનું રૂપ અરીસા બતાવે છે, આત્માનુ રૂપ આગમ બતાવે છે. આત્માનુ રૂપ જાણ્યા બાદ તે પ્રમાણે તેના વિકાસ કરવા જિનવાણી અનુસાર યથાશક્તિ પ્રયત્નશીલ રહેવુ એ જ આત્મવિકાસના સત્ય ઉપાય છે.
રક્ષણ ?
એક રાજાએ પેાતાના રક્ષણ માટે ભણેલા વાંદરાને રાખ્યા હતા. રાજા ઊંધમાં હતેા તે દરમ્યાન તેમના માં પર માખી ખેડી હતી. ખુલ્લી તલવાર લઈને રક્ષણ કરતા વાંદરાએ તલવારના પ્રહાર માખી ઉપર કર્યો અને રાજાનાં ધડ, મસ્તક જુદાં થઈ ગયાં. તેવી જ રીતે માનવે માનવીની રક્ષા માટે વિજ્ઞાનરૂપ વાંદરાના હાથમાં અણુશક્તિની ખુલ્લી તલવાર મૂકી છે.
૧૫૧
For Private And Personal Use Only