________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ
સાંનિધ્ય, પ્રભુનું પૂજન, ધ્યાન આવશ્યક છે. પ્રભુદર્શન કરતી વખતે હૃદયને સરળ બનાવવાનું છે. સરળ હૃદય નિર્ભય હોય છે. માળી અબ્રાહમ લિંકન ગુલામમાંથી આ સદ્દગુણને કારણે પ્રમુખ બન્યા હતા.
અબ્રાહમ લિંકન માળી તરીકે કામ કરતો હતો, તેના માલિકે દાડમ લાવીને તેને રસ કાઢીને લાવવા કહ્યું. તે રસ તરે લાગતાં તેના માલિકે તેને ઠપકે આપે, ત્યારે અબ્રાહમે કહ્યું : “હું માળીનું કામ કરું છું, દાડમ ચાખવાનું નહીં.” અને માલિકે તેની કદર કરી. આવા સરળ હૃદયી પ્રગતિ સાધી શકે છે. બાળક સરળ છે, માટે સૌને તે ગમે છે. વાંસળીને કેઈએ પૂછ્યું: “તું કૃષ્ણને બહુ કેમ ગમે છે?”
વાંસળીએ જવાબ આપે: “હું પાલી છું, સરળ છું, એટલે કૃષ્ણને ગમું છું.”
જેનું હૃદય સરળ થયું, તેને પાપના ઓછા નહીં ગમે. જરાક ભૂલ થશે કે પ્રાયશ્ચિત્ત લેશે. તપશ્ચર્યા કરતાં પ્રાયશ્ચિત્તનું મૂલ્યાંકન અનેકગણું છે. પ્રાયશ્ચિત્ત તે સ્વર્ગેથી ઊતરી આવેલ પવિત્ર ઝરણું છે, તેમાં ડૂબકી મારવાથી પાપી પણ પુણ્યશાળી બને છે. દઢપ્રહારીએ ચાર ચાર હત્યા કરી, પણ પ્રાયશ્ચિત્તથી તેને મુક્તિ મળી.
પાપ કરીને તેને છુપાવવા કરતાં પાપની આલોચના
૧૪૩
For Private And Personal Use Only