________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5. અન્ન તેવો ઓડકાર
આહારવિહાર પર આચારવિચાર અવલંબે છે. તામસી આહાર વાપરવાથી સ્વભાવ તામસી–ઉશ્કેરાટ અનુભવ થાય છે. સાત્વિક આહારથી સાત્વિકતા આવે છે. અન્નાહારીના વિચાર ને વર્તન માંસાહારી કરતાં અતિશ્રેષ્ઠ હશે. તેથી પેટમાં ખરાબ આહાર ન જવા દેવે અને મગજમાં ખરાબ વિચાર ન જવા દેવા. મગજમાં સારા વિચાર હોય, પણ પટમાં અનિષ્ટ આહાર હય, તે મન બગડી જાય છે.
એક સાધુ ગોચરી કરીને તુરત જ સૂઈ ગયા, ત્યારે ગુરુએ પૂછ્યું : “તમે આજે કેમ સૂઈ ગયા છો?”
સાધુ : “મને ઊંઘ આવે છે, મને સૂવા દ્યો.” ત્યારે ગુરુએ વિચાર કર્યો, આજે આહાર બદલાઈ ગયા લાગે છે, તેથી ગુરુ મહારાજે પૂછ્યું: “તમે આહાર ક્યાંથી લાવ્યા હતા ?” મુનિએ એક શેઠનું નામ આપ્યું–તે શેઠને પૂછતાં તેમણે જણાવ્યું : “મંદિરમાંથી લાવેલ સતે માલ મેં સાધુને વહેરાવ્યું છે.'
જે વસ્તુ પ્રભુને ચઢીને ઊતરી જાય તે નિર્માલ્ય બની જાય છે–સેકન્ડહેન્ડ બની જાય છે, અને તે ઊતરેલ માલ વાપરવાથી આપણી વૃત્તિ પણ ઊતરી જાય છે. પ્રભુએ
૧૩૨
For Private And Personal Use Only