________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
સજજન-જ્ઞાની માણસ કદી પિતાની પાંચે ઇન્દ્રિયને અશુદ્ધિ પ્રત્યે જવા નહીં દે. તે પોતાની આંખથી ખરાબ જેતે નથી. આંખથી કામ પ્રવેશે છે. કામથી હદય મલીન થઈ જાય છે. આંખ અવગતિ અને ઉન્નતિનું કેન્દ્રીય મથક છે. તે ઊર્ધ્વગામી બનાવી શકે છે, તે જ રીતે અગામી પણ બનાવી શકે છે. આંખ તે જીવનની ત છે. આંખ ઉપર તે વિવેકની જાળી રાખવાની છે, જેથી અશુદ્ધિ લેશ માત્ર અંદર પ્રવેશી ન શકે. માર્ગ જોયા વિના ચાલી શકાતું નથી ત્યારે તે ન જેવા લાયક જેતે નથી.
સંસારને સારી દષ્ટિથી જુઓ તે જીવન સુંદર બની જશે. અશુભ, ગલીચ, કામવૃત્તિ ઉશ્કેરે તેવાં, મનમાં ઉશ્કેરાટ કરે તેવાં દૃશ્ય જુએ તે જીવન ઉંદર જેવું અનિષ્ટ બનશે.
આંખ જેવા માટે છે, નયણા માટે છે, જીવનની શુદ્ધિની રક્ષા માટે છે, સંત અને પ્રભુનાં દર્શન કરવા માટે છે, આ શુભ દૃષ્ટિથી જ્ઞાનવારિનું પાન કરી આત્માને તારવાને છે.
આંખ પર પિચઢાંકણ છે, પણ કાન ઉપર ઢાંકણું નથી. પરિણામ એ આવે છે કે ભૂલી જવાની વાતે યાદ રાખીએ છીએ અને યાદ રાખવાની વાતે ભૂલી જઈએ છીએ. વ્યાખ્યાનની અમૃત તુલ્ય વાણી બીજે દિવસે ભૂલી જવાય છે ને કેઈનું કડવું વાકય જીવનભર યાદ રાખીએ
૧૦૮
For Private And Personal Use Only