________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જીવન–ય
દરેક ક્રિયા પાછળ દોય હોય છે. કીડાને પણ ધોય હોય છે, કે એક પાંદડા ઉપરથી બીજા પાંદડા ઉપર જવાનું. તેમ મનુષ્ય પણ વિચારવાનું છે કે “હું અહીં શા માટે આ છું? મારે શું કરવાનું છે? ક્યાં જવાનું છે?”
આ વિચારણા હશે, તે જે તરફ જવાનું છે, તે પહેલાં નક્કી કરવાનું છે, અને નિશ્ચિત કરેલ ધ્યેય તરફ આગળ વધવાનું છે. સવારથી સાંજ સુધી જે કામ હું કરુ છું, તે બધાનું કારણ શું? તે પ્રશ્ન થાય એટલે તેને ઉત્તર મેળવવાને. આ આપણને પૂર્ણ બનાવે છે.
સંસારની ભૌતિક વસ્તુઓનો ત્યાગ કરીને સંચિત કરેલ શુભાશુભ કર્મનું ભાથું આત્માએ લઈને જવાનું છે. માટે પુરુષાર્થ કરવાને છે, ક્ષણે ક્ષણ મહેનત કરવાની છે. પરંતુ આત્માને અમર બનાવવા માટે જે મહેનત કરવી પડે તેને બદલે સંસાર વૃદ્ધિ માટે પરિગ્રહના પિટલા બાંધીએ છીએ. સત્તા, શ્રીમંતાઈ કે શાણપણને ગર્વ કર્મરાજા ક્ષણભરમાં ઓગાળી નાખે છે. પ્રભુની વાણી અહંકાર ટાળે છે અને “અહમ ને ઊર્ધ્વગામી બનાવી મરું બનાવે છે.
For Private And Personal Use Only