________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
પ્રવચન પરાગ
પ્રેમથી બોલવાથી સદ્ભાવ જન્મે છે. વ્યવહાર શુદ્ધ હોય તો નિશ્ચય શુદ્ધ અને પરંપરાથી મોક્ષ તરફ પ્રયાણ હશે.
એટલા માટે સંસારમાં શુદ્ધ વ્યવહાર કરો. ઈદ્રિયોનો ઉપયોગ વ્યવહારમાં ઉપયોગ સારો કરો. તે પહેલાં વાણીમાં સત્યનું સિંચન કરો. અમૃત તત્ત્વમાં ઝેર ન આવે એટલા માટે બુદ્ધિ પર વિવેકનું નિયંત્રણ રાખો.
વ્યક્તિ જ્યારે જરૂરતથી વધારે જાતને હોશિયાર માનવા લાગે, ત્યારે ગુરુજનોનો, વડીલોનો તિરસ્કાર કરવા લાગે છે.
એ વખતે બુદ્ધિનો અયોગ્ય ઉપયોગ થાય છે. બુદ્ધિનો દુરુપયોગ
મુલ્લાએ કોઈકને થપ્પડ મારી દીધી. જેથી તેને કોર્ટમાં ઊભો કરાયો. તેની સામે ક્રિમિનલ કેસ થયો.
જજે પૂછ્યું : કેમ, તમે થપ્પડ મારી હતી? મુલ્લાજી ન બોલ્યા.
ફરીથી પૂછવામાં આવ્યું. એટલામાં થપ્પડ ખાનાર વ્યક્તિ ત્યાં આવીને ઊભી. એને જોઈને મુલ્લાએ કહ્યુંઃ હા, થપ્પડ મારી હતી.
જ: કેટલા જોરથી મારી હતી? મુલ્લા : બતાવું? જજ : બતાવો.
મુલ્લાએ તે વ્યક્તિને જોરથી થપ્પડ મારી. જજને કહ્યું: “સાહેબ, આ થપ્પડનો દસમો ભાગ થાય એટલી થપ્પડ મેં મારી હતી. મુલ્લાએ બુદ્ધિનો આવો ઉપયોગ ર્યો હતો. આવી બુદ્ધિએ જ તમારાં જીવનમાં અસ્થિરતા સર્જી છે.
પરમાત્માએ બુદ્ધિ જ્ઞાન ઉપાર્જન કરવા માટે દીધી છે; સંસાર ઉપાર્જન માટે નહીં. ભાષાની શુદ્ધિની માત્રા વાણીનો સંયમ, એટલે કે મૌન. અનાવશ્યક બોલવું જ નહીં, મા જેટલું વધારે તેમ કરશો, એટલું સુખ વધુ.
ઘર્મમિત્ર દ્વારા પુરુષાર્થથી આત્મા જાગ્રત થાય એ જ શુભ કામના.
For Private And Personal Use Only