________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
પ્રવચન પરાગ અડદ અને મગ ઉચ્ચારણમાં પુલિંગ છે. તેની દાળ તે સ્ત્રીલિંગ કહેવાય છે. પછી એને ધોવાય છે – તે ગંગાસ્નાન છે, પછી પીસીને આટો બનાવે છે. પછી હાથથી ગોળ ગોળ બનાવે છે. ગરમ તેલમાં નાખે છે. તળાઈને, લાલ થઈને જ્યારે બહાર આવે છે, આકરી સાધના કરી બહાર આવે છે ત્યારે ટેસ્ટફુલ (સ્વાદયુક્ત). હોય છે. લોકો કહે છે. ખૂબ જ સ્વાદિષ્ટ દહીંવડાં છે.' સાધનાનો સ્વાદ
આ સાધનાનો સ્વાદ છે. અહીં સહિષ્ણુતાની સૌરભ છે. કેવી સહનશીલતા, કેવી પ્રસન્નતા, કેવો પ્રેમ. તેની સાધનામાં સ્વાદ હતો. માનવતાનો ગુણ. માનવતાનો ગુણ કઈ રીતે પ્રાપ્ત થાય છે? 'आत्मवत् सर्वभूतेषु सः पंडितः ।'
જ્યાં સંઘર્ષ, ક્લેશ ન હોય એવા આત્મામાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરો. એને માટે અલ્પ, હિતકારક, વિનયપૂર્વક બોલો. મધુરવાણીનો પ્રેમ
મધુર વાણી બોલો.
ખાવાની ચીજમાં સ્વાદ ન હોય તો તે ચીજ ખાવામાં સ્વાદિષ્ટ નથી લાગતી. આવી રીતે સાંભળવામાં મધુરતા ન હોય તો તેમાં સ્વાદ યા રુચિ નથી આવતી. એટલા માટે મધુર વાણીની જરૂર છે. તેના પાનથી સ્વાદ આવે છે.
પરમાત્મા મહાવીરનું ચિંતન એવું છે, કે મારા શબ્દોથી કોઈ પણ આત્માને કદી પણ દુઃખ ન થાય.
વિચારપૂર્વક, આવશ્યક મધુર બોલવું જોઈએ.
તમારા ઘરનાં નાનાં બાળકો દ્વારા ઘરના સંસ્કારોની જાણકારી મળે છે. બાળ બ્લૉટિંગ પેપર જેવાં હોય છે. બાળકોથી ઘરનું વાતાવરણ સમજાઈ જાય છે. ઘરની પ્રત્યેક સારી-નરસી ચીજોને બાળક તરત ગ્રહણ કરી લે છે. કેટલાંય ઘરોમાં જ્યાં ક્રોધ હોય છે ત્યાં તે દુર્ઘટનાઓના પ્રસંગ પણ બને છે.
બોલતાં ન આવડે તો વિશ્વયુદ્ધ પણ થાય છે. વાણીમાં માધુર્ય જોઈએ. તેમાં સાપેક્ષવાદ (Theory of Relativity) હોય તો વિચારમાં દુર્ગધ નહીં આવે. બીજાને પણ સમજવાની શક્તિ, આપણે જ ખરાં છીએ અને બીજા હોય છે એવા અભિમાનના વિચારો કાઢી નાખવા જેવા છે. કોઈના પણ વિચારો સાથે આવાં અનેકાન્ત - દર્શનથી સમન્વય થઈ શકે છે.
For Private And Personal Use Only