________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવચન પરાગ
૬૭. અપરાધ કરનારા આદમી (સંગમદેવ) ઉપર પણ દયાવાળા દયની વિનમ્ર આંખો, આંસુઓથી ઊભરાઈ જાય છે એવા શ્રી મહાવીર પ્રભુ વિચાર કરે છે કે – તીર્થકરને પ્રાપ્ત કરીને સર્વ જીવો મોક્ષ સુખને મેળવે છે પણ આ બિચારો સંગમ મને પ્રાપ્ત કરી તીર્થંકરની આશાતનાના પાપે દુર્ગતિનો મહેમાન બનશે.
સ્વયંને કષ્ટ દેનારાને વર્યાના ઉપકારી માને છે. તેઓ કહે છે : “તેણે મારા સમત્વને સ્થિર રાખ્યું. તેણે મારી સત્ત્વ પરીક્ષા લીધી. તેણે મને કસોટી પર ચડાવીને મારી શુદ્ધતા સિદ્ધ કરી.” ભગવાનની આંખોમાં આંસુ આવ્યાં.
ભયંકર વેદના આપનાર માટે પણ દયા અને કરુણાનો વિચાર કરવાવાળા પરમાત્માની આંખોમાં નિર્મળ - વાત્સલ્ય અને સ્નેહનાં અશ્રુઓ આવી જાય છે. પરમાત્માનાં અંતર દયની કરુણા અશ્રુ વાટે બહાર આવે છે તે વખતે.
'To return good for evil'
ખરાબ લોકો માટે પણ મનમાં સારી ભાવના રાખો. એટલા માટે સર્વ પ્રથમ ભાષા પર નિયંત્રણ આવશ્યક છે.
“ભાષા સમિતિ” એ જૈન પારિભાષિક શબ્દ છે. એનો અર્થ છે – ભાષાનો વિવેકપૂર્વક ઉપયોગ. ઉપયોગિતાની જાગૃતિ રાખવાની છે. સાવધાની. પરલોકને દષ્ટિમાં રાખીને જો આપણો વ્યવહાર બધાંની જોડે થાય તો, તે વ્યવહાર ઘર્મ બને છે. સહિષ્ણુતા
સંતે કદી પણ કાયરતા નથી બતાવી. હંમેશાં તેની કસોટી થઈ છે. મહમદ પેગંબરને યુદ્ધ લડવું પડ્યું. મહાવીરે ઉપસર્ગ સહન કર્યા, બુદ્ધનો દુશ્મન દેવદત્ત બન્યો. એ રીતે સર્વ પ્રકારના અતિ કષ્ટ સહન કર્યા પછી જ મહાન થાય છે. મહાન બનવા માટે સહન કરતાં શીખવું જ પડશે. હસતે મુખડે કણે વેઠવાં પડશે. આવશ્યક છે.
દહીંવડાં પણ બને છે. તો કેટલું સહન કર્યા પછી ! દહીંવડાં – વડાં – કેમ બને છે? દહીંવડાંના મુખે જ સાંભળીએ :
पहले थे हम मर्द, मर्दसे नार कहाये कर गंगामें स्नान, मैल सब दूर कराये कर पथ्थरसे युद्ध, घाव बरछे के खाये निकल गये जब पार, तब हम 'बडे' कहाये !
મેં ઘણું સહન કર્યું. પહેલાં મર્દ હતો, પછી નારી બન્યો, પછી ગંગા સ્નાન કર્યું બરછીના ઘાવ સહન કર્યા પછી તેલમાં તળાઈને આવ્યો ને પછી હું વડો બન્યો.
For Private And Personal Use Only