________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામો કરવાનાં છે તે હું જાણું છું.” આમ એમની અનુમતિ મળ્યા પછી જ આચાર્યશ્રીએ વિહાર કર્યો. અન્ય સમુદાયના સાધુઓ પણ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રત્યે અગાધ આદર સેવતા. એક ખ્યાતનામ આચાર્ય મહારાજ પણ કહેતા કે અમારા તપાગચ્છીય સાધુઓમાં એક પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી એવા છે કે જેમણે ષ્ટિ પર કાબૂ મેળવ્યો છે, જે અમે પણ નથી મેળવી શકતા. મોટા મોટા વિવાદો હોય ત્યાં પણ સહુ આચાર્યશ્રીને એક તટસ્થ વ્યક્તિ તરીકે
સ્વીકારતા હતા. એક વાર ઓઢવ મુકામે પૂજય મેરુપ્રભસૂરીશ્વરજી મહારાજે પણ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને કહ્યું હતું કે તિથિચર્ચાનો ઝઘડો મિટાવવા માટે તમે એક જ તટસ્થ અને શક્તિમાન છો. એક સમાચારીવાળા અન્ય સમુદાયના વડીલ સાધુ હોય તો તેમને વંદન કરવા જતા. પોતાના શિષ્યોને પણ કહેતા કે બીજા કોઈ મહાત્માઓ મને અગર આપણા કોઈ પણ સાધુને વંદન કરે ત્યા ન કરે, પણ તમને જયાં ત્યાગી પુરુષો દેખાય અને માથું નમાવવાનું મન થાય તો ગમે તે સમુદાયના મહાત્માને તમારે સહર્ષ વંદન કરવાં. સાધુએ તો ગુણો ગ્રહણ કરવાના હોય. શ્રાવક પાસે પણ જો કોઈ ગુણ દેખાય તો તે પણ ગ્રહણ કરવો જોઈએ એવી તેમની ભાવના હતી. ‘દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે, “ગુણોથી સાધુ થવાય. અવગુણોથી અસાધુ થવાય. આથી સાધુ સારા ગુણો ગ્રહણ કરીને નઠારા અવગુણો ત્યજી દે છે.” * આવી સાધુની છબી આચાર્યશ્રીના માનસમંદિરમાં અંકિત થયેલી હતી. જયારે આપવડાઈનો અસ્ત થાય છે ત્યારે વિનયનો ઉદય થાય છે. પોતાનાથી વિશેષ ગુણવાનનો વિનય કરવો તે આપણું કર્તવ્ય છે. સમકક્ષનો વિનય કરવો તે સૌજન્ય છે. અલ્પ ગુણવાનનો વિનય કરવો તે કુલીનતા છે અને સર્વનો વિનય કરવો તે સમષ્ટિ પ્રાપ્ત થયાનું સૂચક છે. આચાર્યશ્રીના હૃદયમાં
આવી સમષ્ટિ : જાત થઈ હતી. ત્યાગ માટેનો અનુપમ અનુરાગ હતો. તેઓ એક વાર એક વડીલ આચાર્યશ્રીને વંદન કરવા ગયા. એમને વંદન કર્યા, પણ એ વડીલ આચાર્યશ્રીના સાધુઓએ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી વડીલ હોવા છતાં વંદન ન કર્યા. વંદન કરીને પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીએ વિદાય લીધી ત્યારે એમની સાથેના એક સાધુથી રહેવાયું નહિ. એમણે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને કહ્યું, ‘આપે તો એ
* गुणेहि साहू अगुणेहिऽसाहू, जिण्हाहि साहू गुण मुज्वऽसाहू
(દશ વે._ ૯-૩/૧૧)
૯૦
For Private And Personal Use Only