SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ્યું કે આજે તો તમારા હાથની ગોચરી માટે વાપરવી છે. અને એમની સાથે ગોચરીમાં બેસી ગયા. પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી અને પૂ. ભદ્રંકરસૂરિજીના ગચ્છ જુદા હતા, પણ ગતિ એક હતી. બંનેનો પરસ્પર પ્રત્યેનો મૈત્રીભાવ અને આદર પણ અખૂટ. બંને જણાં ભેગા થાય ત્યાં એક જ ઉપાશ્રયમાં ઊતરવાનું રાખે. વ્યાખ્યાન પણ સાથે જ આપે. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી કરતાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને વહેલી આચાર્ય પદવી મળી હતી. આમ છતાં પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી મળે ત્યારે ખૂબ જ મૈત્રીભાવ અને વિનય દાખવે. આ અંગે પૂ. ભદ્રકરસૂરિજીએ કહ્યું. તેઓ તો ખૂબ જ વિનય કરે. મને શરમ આવે તેટલો વિનય કરે.” આ સમયે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી અને ભદ્રકરસૂરિજી મહારાજ સાણંદમાં ભેગા થયા હતા. વિ. સં. ૨૦૩માં પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી મહારાજ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આવ્યા હતા. સં. ૨૦૪૦ના મહા સુદ ૬ના દિવસે નયપઘસાગરજીની યોજાયેલી દીક્ષા અર્થે પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી સાણંદ આવ્યા હતા. પૂ. કૈલાસસાગરજી મહારાજ પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજને આગ્રહપૂર્વક કહે “આપ મારા વિદ્યાગુરુ છો. આપ પાટ પર બેસો.” પૂ. આ. શ્રી ભદ્રકરસૂરિજી કહે છે, “આપ અમારા સૌના વડીલ છો. આપ બેસો તે જ યોગ્ય ગણાય.’ આમ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજી અને પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજ એક જ પાટ પર બેસીને વ્યાખ્યાન આપતા એટલું જ નહિ પણ સાણંદના શ્રાવકોને કહેતા કે અમે ભેગા થઈને વ્યાખ્યાન આપીએ છીએ તો તમે સાથે પ્રતિક્રમણ કેમ ન કરો ? અને આ રીતે આચાર્યશ્રીની ભાવનાએ બે ગચ્છને એક સાથે ધર્મઆરાધના કરતા કર્યા નયપદ્મસાગરજીની દીક્ષાનું કાર્ય પૂર્ણ થતાં પૂ. આ. શ્રી. કૈલાસસાગરસૂરિજી વિહાર કરવાના હતા. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજે કહ્યું કે આપ ઉત્સવના દિવસો હોવાથી થોડું વધુ રહી જવ તો? પૂ. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિજી બે દિવસ રહ્યા. પૂ. આ. શ્રી ભદ્રંકરસૂરિજી મહારાજને એમની નમ્ર પ્રકૃતિની ખબર હતી. મહેસાસામાં અનેક ધર્મકાર્યો કરવાનાં હોવાથી આચાર્યશ્રીને જવાની પણ જરૂર હતી. ધર્મકાર્ય અંગેની પત્રિકા પણ બહાર પડી ગઈ હતી. પણ ઘક્ષિય એટલે કે પૂ. આ. શ્રી. ભદ્રકરસૂરિજી મહારાજ કહે પછી જ જવું. પૂ. આ. શ્રી. ભદ્રંકરસૂરિજી મહારાજ આચાર્યશ્રીનો સ્વભાવ જાણતા હતા. તેથી એમને બોલાવીને કહ્યું હવે આપ પધારો. આપને મહેસાણાના ઘણાં For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy