________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદર દાખવતા હતા. એમની જ્ઞાનની તાલાવેલીને કારણે સાધુજનો અને પંડિતવર્ગમાં ભારે ચાહના મેળવી હતી. નજીકના ગામમાં કોઈ જ્ઞાની સાધુપુરુષ હોય તો પોતે સવારે જાય. એમની પાસે બેસી જ્ઞાનાભ્યાસ કરે. બપારે પાછા આવે. બધું છોડીને ભણવા દોડી જાય. ધોમધખતા તાપમાં ખરા બપોરે એક માઈલ દૂર વાચના લેવા જાય અને પાછો આવે. આહારપાણી વગેરે શારીરિક બાબતોની ઉપેક્ષા કરીને તેઓએ વિનયપૂર્વક અભ્યાસ ચાલુ રાખ્યો. તેઓની દૃઢ શ્રધ્ધા હતી કે જ્ઞાનના અભાવમાં સંયમની સાધના શક્ય નથી. જ્ઞાની આત્મા જ “સ્વ” અને “પર” કલ્યા સાધી શકે છે. વળી શાસ્ત્રાભ્યાસથી જ શ્રેય-અશ્રેયનું જ્ઞાન થાય છે. અને આવી જ્ઞાની વ્યકિત જ અહિતકર બાબતો છોડીને શ્રેયનું આચરણ કરે છે. માથી પૂ. કૈલાસસાગરજીએ વિચાર્યું કે પોતે સાધુ થયા છે, સાધક થયા છે અને તેથી એમને સાધુતાને સમજવા જ્ઞાનાભ્યાસની ખાસ જરૂર લા પોતાની જવાબદારી પૂર્ણ કરવા કર્તવ્યરૂપે પણ અભ્યાસ જરૂરી છે તેમ મr. આ સમયે ગુરુના કડવા વચનો સાંભળતા, તેમ છતાં એમની રજા લઈને જ રા-વત્ર મળવા જતા. વળી ગુરુ ક્યારેક ગુસ્સે થતા તો એમની આંખમાં આસુ આવી જતાં. એક વાર પૂ. ભદ્રકરસૂરિજીએ પૂછયું કે, તમારા ચહેરા પર વિવાદ અને ગ્લાનિ કેમ છે ?” આ સમયે ૫ કૈલાસસાગરજી એ કહ્યું, ‘મારા નિમિત્તે મારા ગુરુને ગુસ્સે થવું પડે છે તેનું મને અહર્નિશ દુ:ખ છે. મને એમ લાગે છે કે હું કેટલો દુર્ભાગી કે એમને પ્રસન્ન રાખી શકતો નથી.' આમ ગુરુની રજા મળે તો જ પૂ. કૈલાસસાગરજી અન્યત્ર જઈને શાસ્ત્રાભ્યાસ કરી શકતા. વિદ્યાને વાડા હોતા નથી. એમ પોતાનાથી પદવીમાં નાના હોય, પણ વિદ્યાવાન હોય તો એમની પાસે વિદ્યા મેળવવા પહોંચી જતા. પૂ. ઉદયસૂરિજી, પૂ. લાવણ્યસૂરિજી, પૂ. નેમિસૂરિજી, પૂ. નંદનસૂરિજી, પૂ. ભદ્રકરસૂરિજી અને પૂ. અભયસાગરજી જેવા અનેક સાધુજનો પાસેથી એમણે પોતાની અસીમ જ્ઞાનપિપાસાને કંઈક અંશે તૃપ્ત કરી હતી. વળી આ બધાને પોતાના વિદ્યાગુરુ તરીકે હંમેશા આદર આપતા. એમની ગુરુભક્તિ એક જ ઉદાહરણ જોઈએ. પૂ. કૈલાસસાગરજી દીક્ષાના બીજા વર્ષે સાંણદમાં હતા. આ સમયે ભદ્રકરસૂરિજી પાસે એમણે ‘કર્મગ્રંથનો અભ્યાસ શરૂ કર્યો. ગુરુ જિતેન્દ્રસાગરજી રજા આપે તો તેઓ પૂ. ભદ્રસૂરિજી બિરાજમાન હતા એ ઉપાશ્રયે જઈ શકે અને અભ્યાસ કરી શકે. આવી રીતે પંદર મહિના સુધી પૂ. ભદ્રકરસૂરિજી પાસે અભ્યાસ કર્યો, પરંતુ એનું ઋણ કૈલાસસાગરજી જીવનભર યાદ કરતા. વ્યાખ્યાન કરતા હોય તોપણ સંધની
ماند
ه ند
પ ૧
For Private And Personal Use Only