SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છું? નહીં. મુનિશ્રીએ પ્રથમ ચાતુર્માસ પેથાપુર કયોં. આ સમયે પેથાપુરમાં આવેલા યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીના ચોતરામાં બેસીને તેઓ કલાકો સુધી ધ્યાન કરતા અને બાકીનો સમય અધ્યયન કરતા. પૂજય મુનિશ્રી આનંદસાગરજી પેથાપુરમાં આવ્યા. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરીશ્વરજીના સાધકજીવન સાથે જેનું નામ સદાને માટે જડાઈ ગયું છે તેવું આ ગામ. અહી એક નવી જ ઘટના મુનિશ્રી આનંદસાગરજીના ચિત્તપ્રાસાદમાં બની. વાત એવી હતી કે મુનિશ્રી આનંદસાગરજીની જન્મભૂમિ પંજાબ હતી. એ સમયે પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ ક્રાંતિનો શંખ ફૂંક્યો હતો. બંધિયાર સમાજજીવનની બેડીઓ તોડવાનો પ્રયાસ કર્યો. ધર્મમાં પેસી ગયેલી વિકૃતિઓ અને દૂષણો પર પ્રહાર કરીને ધર્મચેતના અને પ્રજા-અસ્મિતા જગાડી. તે સમયે પંજાબનું નાનકડું જગરાંવ ગામ પણ આર્યસમાજના રંગે રંગાયેલું હતું. ખર! કાશીરામ જે કોલેજમાં માયા એ કોલેજના અધ્યાપકો આર્યસમાજમાં ૮૪ શ્રધ્ધા ધરાવતા હતા. એમના પ્રવચનમાં પણ ખાયંસમાજની વિચારસરણીની છાંટ આવી જતી. યુવાન કારકીરામના ચિત્ત પર આની ગાઢ અસર થઈ. અને પરિણામે મન મૂર્તિપૂજાનો પ્રબળ વિરોધ જાગ્યો. ઘરના સ-કાર અમૂર્તિપુજક હોવાથી એમની આ ભાવનાને વેગ મળ્યો. આ કાશીરામ મુનિશ્રી આનંદસાગર જી બન્યા. પણ હજી પ્રભુપ્રતિમા પ્રત્યે એટલી લગની જાગી નહોતી. પથાપુરમાં તેઓ રોજ બાવન જિનાલયના મૂળ નાયકજી શ્રી સુવિધિનાથજી પરમાત્માના દર્શન કરવા જતા. પરંતુ મનોમન એવું વિચારતા કે આ પ્રતિમા તો પાપણના છે. મારા નમસ્કાર અને ચૈત્યવંદન આ પથ્થરના પ્રતિમાજીને નહિ. બલકે સિદ્ધશિલા પર બિરાજમાન એવા હે સુવિધિનાથ પરમાત્માનું આપને હું વદન-નમસ્કાર કરું છું. આ સમયે યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીનું "જૈન સૂત્રમાં મૂર્તિપૂજા"નામનું મૂર્તિપૂજાનો મહિમા બતાવતું એક પુસ્તક એમના હાથમાં આવ્યું. આ પુસ્તકે મુનિશ્રી આનંદસાગરજીની ટિમાં આમૂલ પરિવર્તન કર્યું. “જૈન સૂત્રમાં મૂર્તિપૂજા" નામના આ ગ્રંથમાં આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ દૃષ્ટાંતો સહિત પ્રતિમાપૂજનની પ્રાચીનતા સિદ્ધ કરી બતાવી હતી. આ પુસ્તક વાંચતાં એમના વિચારાં પલટાવા લાગ્યા. એમાં આચાર્યશ્રીએ દર્શાવ્યું હતું કે “પ્રેમ એ મૂર્તિપૂજાનું કારણ છે. જયાં સુધી જગતમાં પ્રેમ છે ત્યાં સુધી મૂર્તિપૂજા છે જ. સાકાર પ્રેમથી જ સાકાર મૂર્તિની પૂજા થાય છે અને નિરાકાર પ્રેમથી નિરાકારની પૂજા થાય છે, પરંતુ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy