________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
t
મધ્યમ વર્ગના શ્રાવકોની સોસાયટી હોવાથી મિરામ્બિકાના દેરાસરની પ્રતિષ્ઠા માટે પૂરતું ફંડ નહોતું. આ સમયે મહેસાણાના સીમંધરસ્વામીની પેઢીએ એક લાખ રૂપિયા જિનમંદિર નિર્માણમાં અર્પણ કર્યા. પરંતુ આચાર્યશ્રીના પ્રભાવને કારણે મિરામ્બિકા દેરાસરની પ્રતિષ્ઠાના ત્રીજા દિવસે સારી એવી રકમ ભેગી થઇ અને એકને બદલે દોઢ લાખ રૂપિયા શ્રી સીમંધરસ્વામી જિનમંદિરમાં પાછા મોકલી આપ્યા.
પૂ. આચાર્યશ્રીને સીમંધરસ્વામી તીર્થંકર પરમાત્મા પ્રત્યે દૃઢ અને અપાર શ્રધ્ધા હતી. આ તીર્થંકરદેવ અત્યારે પણ આ લોકમાં વિદ્યમાન છે. તેઓ તીર્થંકરદેવરૂપે ઠેર ઠેર વિચરણ કરીને આજે ધર્મતીર્થની પ્રભાવના કરતા રહીને જગતના જીવો પર મહાન ઉપકાર કરે છે. આ કારણે તો પ્રાતઃ કાળે જૈનસંઘ તેઓનું સ્મરણ કરીને પોતાના જીવનને કૃતાર્થ કરે છે. આવા તીર્થંકર પરમાત્મા આપણી બુધ્ધિને નિર્મળ બનાવીને તેને આત્મસાધના માટે ચાલવાની શક્તિ આપે તેવી ભાવના પ્રત્યેક સાધુ અને શ્રાવકના હૃદયમાં હોય છે. યોગનિષ્ઠ આચાર્યશ્રી બુધ્ધિસાગરસૂરિજીએ આ ભાવનાને સાકાર કરતાં લખ્યું છે,
“શ્રી સીમંધર સ્વામીનું,
શરણું એક સાચું; પ્રેમીમાં પ્રેમી પ્રભુ, તવ વિણ સહુ કાચું. શ્રી સીમંધર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષામાં મહાન ગ્રંથો રચનાર આચાર્યશ્રી જ્ઞાનવિમલસૂરિને પ્રાકૃત ભાષાના હેમચંદ્રાચાર્યનું બિરુદ આપવામાં આવ્યું હતું. આવા પૂ. આ. જ્ઞાનવિમલસૂરિજી શ્રી સીમંધરસ્વામી પરમાત્માને વિનંતી કરતાં કહે છે-
“સુણ સીમંધર સાહિબા જી! શરણાગત પ્રતિપાળ, સમર્થ જગ જન તારવા જી, કર મ્હારી સંભાળ, કૃપાનિધિ ! સુણ મોરી અરદાસ, હું ભવે ભવે તુમચો દાસ.
કૃપાનિધિ. કૃપાનિધિ. પૂરો અમારી આશ— કૃપાનિધિ.
હારો છે વિશ્વાસ
—
For Private And Personal Use Only
આવા સીમંધરસ્વામીનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. તેમની કાયા ૫૦૦ ધનુષ્ય જેટલી વિશાળ છે. ૮૩ લાખ પૂર્વ સુધી રાજપાટ ભોગવીને એમણે સંસારનો ત્યાગ કર્યો. દીક્ષા લીધા પછી એક હજાર વર્ષ સુધી સાધના અને
૧૩૫