________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
MOJ
આJ
તપશ્ચર્યા દ્વારા ઘાતી કર્મોનો નાશ કર્યો અને તેઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એમનો દીક્ષાપર્યાય એક લાખ પૂર્વનો છે. એમાંથી એક હજાર વર્ષ બાદ કરતાં, બાકીનાં વર્ષો સુધી તેઓ ધરતી પર જિનેશ્વરદેવ તરીકે વિચરતા રહીને ધર્મતીર્થની પ્રભાવના કરશે. આવા સીમંધરસ્વામી પ્રત્યે પૂ. આચાર્ય બુધ્ધિસાગરસૂરિજી જેટલી જ ભાવના પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરિજીને હતી. પૂ. યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરજીની “કરુણાવતને વિનતી' કાવ્યમાં જે ભાવના જોવા મળે છે તે જ પૂ. આ શ્રી કૈલાસસાગરસૂરિજીના હૃદયમાં અહર્નિશ ગુંજતી હતી. આમાં યોગનિષ્ઠ આચાર્ય બુધ્ધિસાગરસૂરિજી સીમંધરસ્વામી પરમાત્માને ઉદ્દેશીને કહે છે–
“સીમંધર જિનરાજ! કૃપાળુ તારજો, જન્મ-જરાના દુ:ખથી, પ્રભુજી! ઉગારજો; વિદ્યમાન પ્રભુ વાત હૃદયની જાણતા, સાચા સ્વામી સુખકર વિનતિ માનતા. કાળ અનાદિ મોહવશે બહુ દુ:ખ લહ્યાં, ચાર ગતિનાં દુ:ખ વિચિત્ર બહુ સહ્યાં; મોહ વશે ધામધૂમમાં ધર્મપણું રહ્યું, શુધ્ધ સ્વરૂપ સ્યાદ્વાદ તત્ત્વથી સહ્યું. ગાડરિયા પ્રવાહમાં દૃષ્ટિરાગે રહ્યો, બાહ્ય ક્રિયારુચિ ધામધૂમમાં હું પડ્યો લોકોત્તર જિનધર્મ પરખીને નવિ લહ્યો ગુરુગમ જ્ઞાન વિના હું ભવોભવ આથડ્યો. ૩ પ્રભુ! તુમ શાસન પુણ્યથી પામી મેં જાણીયું, મિથ્યા દર્શન જોર કુમતિનું વ્યાપીયું, પરનું સત્ય સ્વરૂપ જિનેશ્વર-ધર્મનું રહેશે જોર હવે કેમ આઠે કર્મનું? તુજ કરુણા એક શરણ સેવકને જાણશો, જાણી બાળક હારો કરુણા આણશો, હારે શરણું એક જિનેશ્વર જગધણી, તારો કરુણાવંત! મહેશ્વર! દિનમણિ! બુધ્ધિસાગર બાળ તુમારો કરગરે, સાચા-સ્વામિ-પસાથે સેવક સુખવરે ઉપાદાનની શુધ્ધિ પ્રભુતા જાગશે,
જીત-નગારૂં અનુભવજ્ઞાને વાગશે.” પૂ. આચાર્યશ્રી વારંવાર કહેતા કે મારે દેવલોકમાં જવું નથી. મારે તો
૧૩૬
For Private And Personal Use Only