SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શિષ્યસમુદાય બેઠો હોય, પોતે મધ્યમાં બિરાજેલા હોય અને પાઠ આપવામાં પૂરેપૂરા તન્મય થઇ ગયા હોય. સાહિજક રીતે જ એક પછી એક શ્લોકો એમની યાદદાસ્તમાંથી સરતા હોય. આમ, આચાર્યશ્રી એટલે કે જીવત યુનિવર્સિટી. એક જંગમ પાઠશાળા. સાધુજનો અભ્યાસ કરે એ માટે આચાર્યશ્રીએ અભ્યાસક્રમ ઘડ્યો હતો. છ ધોરણ સુધી ભણેલા સાધુને માટે સાત વર્ષના ધાર્મિક અભ્યાસનું એમણે આયોજન કર્યું હતું. શિષ્ય પ્રત્યેના અગાધ વાત્સલ્યનું ઉદાહરણ તો આચાર્યશ્રીની ગણિ પૂ. જ્ઞાનસાગરજી મહારાજની સેવાને કહી શકાય. પૂજ્ય જ્ઞાનસાગરજી મહારાજ ગળાના કેન્સરની બીમારીથી ધેરાયેલા હતા. આ સમયે પાલીમાં પ્રતિષ્ઠાનું કામ ચાલતું હતું. શિષ્યની આવી અવસ્થા હોય ત્યારે આચાર્યશ્રીનું કરુણાભર્યું હૃદય સહેજે વિલંબ કઇ રીતે સહી શકે ? એમણે એવુ વિચાર્યું નહિ પ્રતિષ્ઠાનું કામ જલદી આટોપીને પહોંચી જાઉ. પોતાના શિષ્ય જ્ઞાનસાગરજીનું ચિત્ત સમાધિમાં રહે, તે માટે તત્કાળ એમની પાસે આવી પહોંચ્યા. તેઓ જ્ઞાનસાગરજી પાસે બે-બે કલાક સુધી કરુણામૂર્તિ પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરતા હતા. પોતાના હાથમાં વાસક્ષેપ લઇને આચાર્યશ્રી ‘ઉવસગ્ગહરમ્' સ્ત્રોત ગણીને જ્ઞાનસાગરજીના ગળા પર વાસક્ષેપ નાખતા. આમાં એમનું શિષ્ય તરફનું અગાધ વાત્સલ્ય પ્રગટ થતું હતું. શિષ્યોના સ્વાધ્યાય અંગે પણ આચાર્યશ્રી હમેશાં જાગરૂક રહેતા. તેઓ પુસ્તક વાંચતા વાંચતાં એના મહત્વના મુદ્દા નીચે લીટી કરતા જાય. એમનો હેતુ એટલો કે, મને આખું પુસ્તક વાંચવાનો ભલે શ્રમ પો, પણ મારા શિષ્યોને તો એનું નવનીત મળે. વળી આ લીટી કરેલાં (અન્ડરલાઇન કરેલા) વાકયોની નોટ શિષ્યો પાસે તૈયાર કરાવે. તેઓ બે-ત્રણ શિષ્યોને એ કામ સોપી દેતા. આની પાછળ એમની દીર્ઘદૃષ્ટિ રહેલી હતી. આવું કામ હોય એટલે કોઇ વ્યર્થ કામમાં પરોવાય નિહ. પ્રમાદ સેવે નહિ. વળી આ રીતે લખવાથી આપોઆપ જ્ઞાનોપાર્જન થાય અને એના અક્ષરો સુધરે. આમ સાધુ આખો દિવસ સ્વાધ્યાય અને લેખન પ્રવૃત્તિમાં વ્યસ્ત રહે.વળી એક પુસ્તકની નોંધ કરવાનું કામ પૂરું થાય ત્યાં બીજું પુસ્તક તૈયાર જ હોય. આમ સાધુ ક્ષણનો પણ પ્રમાદ કરે એ એમને પસંદ નહોતું તેઓ કહેતા કે પંડિત કોને કહેવાય ? અભ્યાસ કરે તે પંડિત નહિ, પણ સમયનું મૂલ્ય સમજે તે પંડિત. શાસ્ત્રમાં પણ કહ્યું છે: લાં નાનેહિ પંડિતા ‘ક્ષણને સમજે તે પંડિત' તેઓ પોતાના શિષ્યોને વારંવાર આ વાકય કહેતા અને પ્રત્યેક ક્ષણને ધર્મઆરાધનામાં પલટાવવાની જિકર કરતા. વળી એમ પણ કહેતા કે મારો કોઇ ઉપાશ્રય નથી. મિલકત નથી. અરે, ૧૧૧ For Private And Personal Use Only
SR No.008703
Book TitleAtamgyani Shraman Kahave
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy