________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(દમન, દયા અને દાન આ ત્રણ ‘દકારોને' જે જાણે છે તે જીવ છે.) આ ત્રણ ‘દકાર’ને શરીર જાણી શકતું નથી. જીવ જ તેને જાણી શકે છે. આની પુષ્ટિ (સમર્થન) માટે એક અનુમાન પ્રમાણ આ પણ આપી શકાય... "વિદ્યમાનમોસ્તુમિવું શરીર મોવાવું, ગોવનાવિવત્ ।"
શરીર ઓદન (ભાત) વગેરેની જેમ ભોગ્ય છે. આથી એનો ભોક્તા પણ છે જ. અને એ જ આત્મા છે.
શરીરમાં રહેતો હોવા છતાં શરીરથી આત્મા જુદો કેવી રીતે છે, તે માટે કહયું છે:
" क्षीरे वृतं तिले तेलम्,
काष्ठेऽग्निः सौरभं सुमे ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
चन्द्रकान्ते सुधा यद्वत्,
તથાત્માડતઃ પૃથક્ ॥'
દૂધમાં જેવી રીતે ઘી છે, તલમાં તેલ છે. લાકડામાં આગ છે. ફૂલમાં સુગંધ છે. અને ચન્દ્રકાન્ત મણિમાં અમૃત રહે છે. એ જ રીતે શરીરમાં વ્યાપ્ત આત્મા એનાથી પૃથર્ (જુદો) હોવા છતાં પણ શરીરમાં રહે છે.
પ્રભુએ કરેલા સ્પષ્ટીકરણથી શ્રી ઇન્દ્રભૂતિના હૃદયમાં વર્ષોથી છુપાયેલી આત્મા વિષેની શંકા દૂર થઇ ગઈ. એટલે તરત જ એમણે આત્મસમર્પણ કરી દીધું. અને પોતાના પાંચસો શિષ્યો સાથે તત્કાળ પ્રવ્રજયા (દીક્ષા) લઇ લીધી. એ સહુએ દીક્ષા આપીને પ્રભુએ ત્રિપદીનો બોધ આપ્યો. "ઉત્પાત-વ્યય-ધ્રૌવ્યયુક્ત હિ સત્ ।" જેની ઉત્પત્તિ થાય છે. અમુક કાળ જે સ્થિર રહે છે. અને જેનો નાશ થાય છે. તે સત્ (વિદ્યમાન-અસ્તિત્વવાળો) પદાર્થ છે.
ઉપર્યુક્ત ત્રિપદીના આધારે શ્રી ઇન્દ્રભૂતિએ "હૃશાંન્ત' ની રચના કરી. પ્રભુના સર્વ પ્રથમ શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમસ્વામીજીને કોટિશ: વન્દના!
ધર્મ ધર્મ કાંઇ સંપ્રદાયમાં, સંઘર્ષમાં કે વાદિવવાદમાં નથી પરંતુ કોઇ પણ ઇચ્છા, એવા અભાવમાં ધર્મ સમાયો છે.
૩૮
For Private And Personal Use Only