SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 1 ) ચતુદશ રાજલોકમાં અનંતવાર પરિભ્રમણ કરાવનાર સાનુકૂળ અને પ્રતિકાલ મનોવૃત્તિ જ છે. યોગવાસિષ્યમાં પણ કહ્યું છે કે વૃત્તિથી જ સંસાર ઉત્પન્ન થાય છે. બહિર્ મનોવૃત્તિથીજ આમાં સંસારમાં પુણ્યપાપ ગ્રહણ કરી અનેક શુભાશુભ અવતાર ધારણ કરે છે, મનોવૃત્તિ જે શાંત થઈ તૌ સંસાર પણ શાંત થયો સમજવો. સાનુકૂળ અને પ્રતિકૂળ મનોવૃત્તિને રોકથીજ મુકત થવાય છે. મનોગુપ્તિ કરવાથી જ સત્યધર્મ પ્રગટે છે. મનવૃત્તિરૂપ સ્ત્રીએ આત્મારૂપ સ્વામીને વિકલ્પરૂપ પારણામાં અનંતુિં. વાર મુલાવ્યો અને કોણ જાણે હજી ક્યાં સુધી ખુલાવશે. મને વૃત્તિ એક ભાવ વૈશ્યા છે; તેના વશમાં જગતના સર્વ જીવો ફસાયા છે. રાગ દ્વેષામક એ. વૃત્તિ એક દાસી છે, તેના તાબામાં રહેનાર પુરુષો પણ અપુરૂષાર્થપણેને ભજે છે. મનોવૃત્તિરૂપ વ્યભિચારિણી સ્ત્રીના કહ્યામાં જે પુરૂષો છે તે તોભિચારી કહેવાય કે બ્રહ્મચારી ? તેનો સજ્જનોએ નિર્ણય કરવો જોઈએ. પચંદ્રિયના વિષયો તરફ દોડતી રાગરૂપ મનોવૃત્તિએ ક્યા ક્યા પુરૂષને વિષય ભોગમાં સપડાવ્યા નથી ? એક ઇન્દ્રિયના વિષય કરતાં જે પાંચ ઇન્દ્રિયોનો વિપય સેવે છે તે પણ મનવૃત્તિને પરતંત્રપણાથીજ જાણવું. પ્રારબ્ધયોગે રાગકે રૂપ મનોવૃત્તિની શન્યતાએ ઉદાસીન પરિણામે વિષયભોગ ભોગવી જે આત્મા કર્મ નિર્ભરે છે તેને પુરૂષોને ધન્યવાદ ઘટે છે, તેવી દશાની સ્થિતિ પ્રાપ્ત થવી દુર્લભ છે. પાંચે ઈન્દ્રિયોના જે બાઘુ પદાર્થો વિષયરૂપે છે તેમાં મન, રૂચિ વા અરૂચિપણે ધારણ કરે નહિ તો ઉત્તમ આત્મિક સુખની ખુમારી પ્રગટે છે. ખરેખર અજ્ઞાન દશાથીજ આનંદાવંજ મને વૃત્તિ, બાહ્ય પદાર્થો ઉપર રૂચિભાવ ધારણ કરે છે. અજ્ઞાનદશામાં જે આનંદ મનાય છે તે કલ્પનારૂપ છે. કારણ કે બાહ્ય પદાર્થો આનંદવાળા નથી તો તેના ઉપર રાગ ધારણ કરવાથી ક્યાંથી આનંદ મળી શકે ? બાહ્ય પદાર્થોમાં જે આનંદ હોય તો તે જડ હોય નહિ, કારણ કે જડપદાર્થોમાં આનંદ હતો જ નથી. લાખો વા કરોડો મનુષ્ય, રાજાથી તે રંકત ર સ્ત્રી પુરૂ આનંદને માટે રાત્રીદિવસ બાદ્યપદાર્થોનો ગ્રહણ ત્યાગ કરે છે. છેવટે મરી પણ જાય છે. પણ બહાપદાર્થોથી તેમને આનંદ મળતો નથી. તેમ વાચકો અને લેખકો પણ કોટી ઉપાય કરે તો પણ બાહ્ય જડ પદાથાથી કદી આનંદ મેળવી શકનાર નથી. મનોવૃત્તિથી જ બાહ્યમાં આનંદ કલ્પાય છે. જે મનોવૃત્તિ સાચી હોય તો તેની કલ્પનાપ્રમાણે બાહ્યપદાથોમાં આનંદ પણ હોઈ શકે, પણ મનોવૃત્તિ ક્ષણિક છે, શુદ્ધ જ્ઞાનથી રહિત છે, ત્યારે મનોવૃત્તિની કલ્પનાથી બાહ્યમાં આ ફમ માની શકાય ? મેલડી માની શકાય નહીં. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy