SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે પામે છે તેમનામાં વિશેષતઃ જ્ઞાનચારિત્રાદિક સદ્દગુણે હોવા જોઈએ. સ્વાભાવિક સુખના સાગરભૂત ગુરૂ હોવા જોઈએ. પૌલિક સુખોને જે નાકના મેલ સમાન સમજે છે. અશાતા ભોગવતાં જે ગુરૂ સમતા રાખે છે, ઉચ્ચ ભાવનાઓવડે સદાકાલ આત્માને ભાવે છે. સગુરૂની પાસે પંચમહાવ્રત ગ્રહણ કરી જે યથાર્થ પાળે છે, જ્ઞાનક્રિયાથી જે આત્માના અધ્યવસાયોની શુદ્ધિ કરે છે. શત્રુ અને મિત્ર ઉપર સમભાવ રાખે છે, બાહ્ય વસ્તુમાં જે કદી મેહથી લપટાતા નથી, કામક્રોધાદિક અન્તરના દુર્ગણોને નાશ કરવા જે સદાકાલ પ્રયત કરે છે, ધમની ક્રિયાઓમાં જે ચિત્તને રોકે છે, પ્રાણને પણ કોઈનું અશુભ કરવા જેનો સંકલ્પ નથી, હું અને મારું એવો અહંભાવ જેમના હૃદયમાં સ્કુરતો નથી. જે સર્વ જીવોની દયા પાળવામાં કટીબદ્ધ થયા છે, જે પ્રભુની આજ્ઞાને બરાબર પાળવા ઉઘુક્ત થયા છે. એવા સુખસાગર ગુરૂ, સ્વાભાવિક સુખના સમુદ્ર હોય એમાં શું આશ્ચર્ય ? અથવા સ્વાભાવિક સુખના દરિયા ભવિષ્યમાં થાય એમાં શું આશ્ચર્ય ? અર્થાત્ કંઈ પણ આશ્ચર્ય નથી. ગ્રન્થારંભે સશુરૂને નમસ્કાર કરવો જોઈએ. કારણ કે ગુરૂ મોટા ઉપકારક છે, જગતમાં સદ્ગુરૂસમાન કોઈ હિતકારક નથી. સિંદુરપ્રકરણમાં કહ્યું છે કે, ઢોવા पिता माता भ्राता प्रियसहचरी सूनुनिवहः सुहृत् स्वामी माद्यत् करिभटरथाश्वपरिकरः। निमजन्तं जन्तुं नरककुहरे रक्षितुमलं गुरोर्धर्माधर्मप्रकटनपरात् कोऽपि न परः ॥१॥ જગતમાં પિતા, માતા, ભાઈ, પ્રિયસહચરી, પુત્રવૃન્દ, મિત્ર, સ્વામી, મદોન્મત્ત ગજભટરથ-અશ્વનો પરિવાર હોય, પણ નરકફહરમાં પડતા એવા પ્રાણીનું રક્ષણ કરવા ફક્ત ગુરૂ વિના કોઈ સમર્થ નથી. અત્ર પ્રદેશી રાજા વગેરેનાં દૃષ્ટાંત જાણે સમજી લેવાં. જુર હો ગુરુ દેવતા, રવિ ઘોર અંધાર. ગુરૂ દીવ અને ગુરૂ દેવતા છે, જે મનુષ્યો સદ્દગુરૂની મહત્તા સમજે છે તેઓ અહર્નિશ સદ્ગુરૂની આજ્ઞાનું પરિપાલન કરે છે, સદ્ગુરૂની આજ્ઞામાં ધર્મ છે, અનેક પ્રકારે યથાયોગ્ય સગુરૂની ભક્તિ કરવી જોઈએ. સદ્દગુરૂને નમસ્કાર કરવાથી શિષ્યના હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય છે, તેમજ લઘુતા ઉત્પન્ન થાય છે. ધર્મ ગૂર્જ વિના ધર્મનું મૂલ વિનય છે, વિનયથી ધર્મની યોગ્યતા પ્રગટે છે, વિનયના ચોગે સદ્ગુરૂઓ અનેક પ્રકારની વિદ્યાઓ આપે છે. વિદ્યાથી આત્મા, સ્વસ્વરૂપ સન્મુખ થાય છે. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy