SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળનારને ફાયદો થઈ શક નથી, તેમજ જે સાતમી ચોપડીનો અધિકારી હોય તેને પહેલી ચોપડીનો ઉપદેશ આપવામાં આવે તો તે પણ યોગ્ય નથી, માટે અધિકારી પ્રમાણે યોગ્યતા તપાસી બૌધ દેવો જોઈએ. અધિકારની પ્રાપ્તિમાટે જ સાધુઓને યોગ વહનની ક્રિયાઓ શાસ્ત્રોમાં ફરમાવી છે. જીવવિચાર સમજવાની જેનામાં યોગ્યતા ન હોય તેની આગળ ભગવતીના ભાગ ગણું બતાવવા તે યોગ્ય નથી, માટે અધિકારી વશતઃ બોધ દેવાની શૈલી ધારવી જોઈએ વસ્તુનઃ તેમાંજ ફળની આશા રખાય છે. અધિકારી પ્રમાણે વસ્તુ બતાવવી જોઈએ, નહીં તો ઉલટો અનર્થ થાય છે, તેમજ અધિકારીના વશથી ક્રિયાઓને ધ પણ દેવો જોઈએ અને ક્રિયાઓ પણ પંતાને અધિકાર પ્રમાણે કરવી જોઈએ. સાધુની ક્રિયાને આધકારી સાધુ છે. અને શ્રાવકની ક્રિયાને અધિકારી શ્રાવક છે, અથાત શ્રાવક ધમની ક્રિયાને અધિકાર પ્રાપ્ત થયો હોય તો ગૃહસ્થ શ્રાવકને ક્રિયા કરવી જોઈએ અને સાધુધર્મની ક્રિયાની યોગ્યતા પ્રગટી હોય તો સાધુપ અંગીકાર કરી સાધુ ધર્મની યિાઓ કરવી જોઈએ. પોતાને સાધુ અગર શ્રાવક એ બે ધર્મમાંથી ક્યા ધર્મની યોગ્યતાનો અધિકાર પ્રગટયો છે, તેની જિજ્ઞાસુએ સ્વયમેવ વિચાર કરી લેવો જોઈએ અને તે પ્રમાણે ગુરુ પાસે ક્રિયાનો આદર કરવો જેઇએ. પોતાને ધમની કઈ ક્રિયા કરવાની યોગ્યતા છે, તેને પ્રથમથી નિર્ણય કરી પશ્ચાત તે ક્રિયાઓને આદરવી જોઇએ. આગળની ક્રિયાઓનો અધિકાર પ્રાપ્ત થતાં પાછળની ક્રિયાઓને મૂકી આગળ ની ક્રિયાઓને આદરવી જોઈએ, આ લોકનો અન્ય ભાવાથ નીચે મુજબ છે. સર્વ પદાર્થો પોતપોતાના ધર્મવં શ્રેષ્ઠ છે અને સર્વ પદાથા અન્ય દાર્થના ધમૅવડે શ્રેષ્ઠ નથી. સારાંશ કે, આમા પોતાના જ્ઞાનાદિ ધર્મવંડે શ્રેષ્ઠ છે અને તે પુદ્ગલ દ્રવ્યના ધર્મવડે શ્રેષ્ઠ નથી. આ મા પોતાના ધર્મવડે શ્રેષ્ઠ ગણાય છે, પણ તે કંઈ પુદ્ગલના ધવડે શ્રેષ્ઠ ગણાતા નથી, માટે આ ત્માએ પોતાના ધર્મોનો પ્રકાશ કરવો જોઇએ. આત્મા પોતાના ધર્મોને બોલાવીને પરમાત્મા થાય છે, આત્માએ આ માના જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ કરવી જોઈએ અને પુદ્ગલ દ્રવ્યના ધર્મમાં અહંતા, મમતા, ન કરવી જોઈએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી પુદ્ગલ દ્રવ્યના પર્યાયોને આહાર અને તૃષાના પરિવાર માટે ગ્રહણ કરવા પડે છે, પણ તેમાં સુખ આપવાની શક્તિ નથી અને તે પદાર્થો કંઈ આત્માના નથી, એમ સત્યવિવેક ધારણ કરવો જોઈએ. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy