SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮ ) ઇત્યાદિ જ્ઞાની વર્તમાનકાલમાં નિશ્ચય કરે છે. ભૂતકાળમાં જે થયું તે હાલ નથી. ભવિષ્યમાં જે થવાનું છે તે હાલ નથી; વર્તમાનકાળ સુધર્યાથી ભવિષ્યકાળ સુધરે છે અને વર્તમાન પ્રગટ્યાથી ભવિષ્યકાળ બગડે છે, માટે નાની પો તાની ઇચ્છા વર્તમાનને અવલંખીને કરે છે, તે ખરેખર ચોગ્યજ છે. સ્વાભાવિક સુખપ્રદ પદ્મની કો ઇચ્છા ન કરે ? અલબત સર્વ મનુષ્યો કરે છે. કોઇને પૂછો કે ભાઈ! હને મુક્તિ વ્હાલી લાગે છે? ત્યારે તે કહેશે કે હા મ્હને મુક્તિ વ્હાલી લાગે છે. મુક્તિના સમાન અન્ય કોઈ ઉત્કૃષ્ટ સાધન નથી. ખરેખર મુક્તિના સમાન કોઈ નથી. શુદ્ધાત્મપદ પ્રાપ્ત કરવાની ઇચ્છા થવી મહા દુર્લભ છે, કોઈ યોગ્ય મુમુક્ષુને તેની ચ્છા થાય છે. સર્વ મનુષ્યો પોતાની ખુચનુસાર મુક્તિ ઇચ્છે છે પણ તેમાં દૃષ્ટિના ભેદે ઘણા ભેદ પડે છે; નાની પુરૂષ દૃઢ સંકલ્પ કરે છે કે સર્વ કર્મનો નાશ કરવામાટે યથા શક્તિથી ઉદ્યમ કરવો, કારણ કે અનન્ત સુખનો દરિયો હું છું માટે મારૂં સ્વાભાવિક સુખ મારે પ્રાપ્ત કરવું જોઇએ. મ્હારા જ્ઞાનાદિ ગુણો સર્વ પોતાના સ્વભાવે વર્તે છે તેને તત્ તત્ કર્માવરણોને ટાળી પ્રગટ જોઇએ. અક્ષતૂનો ઉત્પાદ થતો નથી અને સનો નાશ થતો નથી. મારા આત્માના સર્વે ગુણો સત્પે છે; ગમે તેટલાં તેના ઉપર આવરણો આવે તો પણ તે પોતાનું રૂપ ત્યાગતો નથી. આત્મા જ્યારે ત્યારે પણ પોતાના ગુણોને પ્રગટ કરી મહાન બનવાનો છે, આત્માના અનન્તગુણાંને આત્મા પો તાના સ્વભાવમાં રમણતા કરી પ્રગટ કરવાનો છે, માટેજ જ્ઞાની કહે છે કે હું તે ગુણોને પ્રગટ કરવા ઉત્સુક બન્યો છું. કરવા જ્ઞાની મહાત્મા પોતાના ગુણાની પ્રગટતા કરવા માટે કઈ દશાથી જગત્માં કાર્યો કરતા છતા વત છે, તે જ્ઞાની પેાતાનાં ઉદ્ગારોને જણાવે છે. જોઃ. साक्षीभूतो विपश्यामि स्फुरन्त्यादर्शवन्मयि । निर्लेपः सन् पदार्थेषु, प्रवर्त्ते स्वाधिकारतः ॥ ९२ ॥ શબ્દાર્થ:—સર્વ પદાર્થોને હું સાક્ષીરૂપે દેખું છું અને મારામાં સર્વ પદાર્થો આદર્શની પેડ ભાસે છે. સર્વ પદાર્થોમાં નિર્લેપ થયો હતો. સ્વાધિકારવડે જગમાં પ્રવતું છું. અર્થાત્ આવશ્યક કાર્યસેવામાં રહું છું. ભાવાર્થ:—સર્વ પદાથાને સાક્ષીરૂપવડે દેખવા એ મહા આદરા પુરૂષનું કાર્ય છે, સર્વ પદાર્થોને ઓધવડે સાીિપણે રહી જાણવા અને તેમાં લેપાછું નહિ એ કંઈ સાધારણ કાર્ય નથી. આવી જ્ઞાનની ઉત્કૃષ્ટ દેશા પ્રાપ્ત For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy