SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯ ) છે. કેટલાક એકાન્ત યોગને માનેછે, કેટલાક એકાન્ત રાજયોગને માને અને હઠયોગના સ્વરૂપને ૫સ્વરૂપ સમજે છે તેને ધન્ય ક્રિયાઓને રાજયોગ-સહજ છે, પણ સમજવાનું કે તેવા પુરૂષો રાજયોગ રિપૂર્ણ સમજ્યા નથી. સૂક્ષ્મ બુદ્ધિથી એનું છે. કેટલાક મનુષ્યો તો હઠયોગની કેટલીક યોગ તરીકે કુટી મારે છે અને સમાધિ વગેરેને હઠયોગ તરીકે કુટી મારીને ભોળા લોકોને આડે રસ્તે દોરવે છે, તેઓ ખરેખર પોતે આડે રસ્તે જાય છે અને અન્યોને આડે રસ્તે દોરે છે. જેનાગમની પરિપાટીવિના સમ્યગજ્ઞાન થતું નથી, માટે એકાન્તવાદના નાશ કરવામાટે ગુરૂગમ પરંપરાએ જેનાગમનું જ્ઞાન કરવું જોઇએ, ઇત્યાદિ દર્શાવે છે, श्लोकः जैनागमपरीपाठात्, सम्यक् श्रद्धा प्रजायते, સાપેક્ષવાોધાન, મિથ્યાધુદ્ધિવિનશ્યતિ. ॥ ૮૨ ।। શબ્દાર્થ:—જૈન આગમોની પરિપાટીથી, તેમજ સાપેક્ષ વાદના બોધથી, સમ્યજ્ઞાન ઉત્પન્ન થાયછે અને મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. ભાવાર્થ:—જૈનગમોનો પરિપાકવિના સાપેક્ષવાદ સમાતો નથી અને સાપેક્ષવાદ જ્ઞાનવિના, મિથ્યાત્વબુદ્ધિનો નાશ થતો નથી, માટે જૈન કહેવાતા દરેક જૈનોએ જૈનાગમોનું શ્રવણ, મનન, કરવું જોઈએ. નાગમોના જ્ઞાનવિનાના જૈનો તે ખરેખર જૈનતરીકે નથી. હાલમાં જૈનસિદ્ધાન્તોનું શ્રવણ મનન અલ્પ પ્રમાણમાં થાય છે, તેથી જૈનો પોતાના સ્યાદ્વાદધર્મને પૂર્ણપણે અવલોકી શકતા નથી. દરેક વસ્તુનું સ્યાદ્વાદપણે જ્ઞાન થાય તો હઠયોગ અને રાજયોગમાં કારણ કાર્યભાવ સારી રીતે સમજી શકાય. દરેક વસ્તુના ધર્માં કયા કયા છે અને તે ક્યા કયા નયની અપેક્ષાએ છે, તે સમજાવનાર સ્યાદ્નાદનય છે. આત્મપદાર્થનું સંપૂર્ણ સ્વરૂપ જૈનાગમોથી સમજાય છે. સત્યજ્ઞાનના ભંડારરૂપ જૈનાગમો છે. સત્યજ્ઞાનની કુંચીઓરૂપ જૈનાગમો છે. સાયન્સ વિદ્યા, યાને પદાર્થવિજ્ઞાનના ભંડારરૂપ જૈનગમો છે. મેરૂપર્વતની પેઠે ધર્મની આસ્તિકતાની સ્થિરતા ઉપજાવનાર જૈનાગમો છે. મોક્ષમાર્ગની કુંચીઓ બતાવનાર જૈનાગમો છે. સત્ય સુખના સિદ્ધાન્તને પૂર્ણ ાસાથી સમ જાવનાર જૈનાગમો છે. નિવૃત્તિ માર્ગનું પૂર્ણસ્વરૂપ બતાવનાર જૈનગમો છે, ાર્વધર્મમાં જે જે અંશે સત્યતા રહી છે, તે તે અંશોને સ્પષ્ટપણે સમાવનાર જૈનાગમો છે. કેવલજ્ઞાનની પૂર્ણ શોધનો છેલ્લો ચુકાદો જૈનાગમો છે. જૈનગમોમાં પ્રતિપાદ્ય પદાર્થોનું પૂર્ણસ્વરૂપ ન સમજાય તેમાં જૂનાગમોનો દોષ નથી, કિન્તુ પોતાની સામાન્યબુદ્ધિ અધિકાર, અનુભવ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy