SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪) अष्टांगयोगनुं फळ शु? અષ્ટાંગયોગની આરાધનાનું ઉત્કૃષ્ટ ફળ આત્માને અનન્ત સુખમય કરવો તેજ લક્ષ્યમાં રાખવાનું છે. આમાની પરમામદશા કરવી તેજ યોગિને છેવટનું ઈષ્ટ ઉત્તમ ફળ પ્રાપ્ત થઈ શકે છે. દેવતા અને મનુષ્યના સુખની પ્રાપ્તિ, ઉત્તમ અવતાર અને અનેક લબ્ધિ વગેરે યોગનાં અવાનાર ફળો જાણવાં. તારાનો સૂર્ય કરવો તેની પેઠે આત્માની પરમાત્મા દશા કરવી, એ જે કોઈથી બનતી હોય તો હઠયોગ અને રાજયોગના આરાધનથી જાણવી. શબ્દબ્રહ્મદ્વારા પરબ્રહ્મમાં લીન થઈ જવું એ થયો કહેવાય છે. જગતમાં સર્વ સુખ કરતાં સહજ સુખ ભોગવનાર યોગીવિના અન્ય કોઈ નથી. છેવટ ઉપસંહારમાં કહેવાનું છે, યોગના અસંખ્ય ભદોમાંથી ગમે તે યોગને સંપ્રાપ્ત કરવાથી મુક્તપદ મેળવી શકાય છે અને તેથી અનન્ત જ્ઞાનાદિગુણ પ્રાપ્ત કરી શકાય છે. જન્મ, જરા અને મરણનાં બંધનોનો વિચ્છેદ કરી શકાય છે, માટે જિજ્ઞાસુઓએ ગુરૂગમપૂર્વક યોગના ભેદોનું જ્ઞાન પ્રાપ્ત કરીને કર્તવ્યપરાયણ થવું અને સર્વ યોગોમાં મુખ્ય એવા જ્ઞાન પ્રદર્શન અને ચારિત્ર યોગની આરાધનામાં દાલયમના થવું. અસંખ્ય યોગની, શ્રદ્ધાકારક સમ્યકત્વવિના તત સત યોગના માગમાં પ્રવૃત્તિ થતી નથી, તેમજ તત સેવનમાં પ્રેમ થતો નથી, માટે સમ્યકત્વ દર્શનની આવશ્યકતા છે. તેથી તેનું સ્વરૂપ નીચેના લેકથી થાય છે. હ્યો . स्थाद्वादमुद्रया सर्वे, पदार्थाः सन्ति वस्तुतः । श्रद्धा हि तादृशी सम्यक्, दर्शनं व्यवहारतः ॥ ६४ ॥ क्षयउपशमो मिश्रः, दर्शनमोहकर्मणः । चतुर्णा च कपायाणां, तथानन्तानुबन्धिनाम् ॥ ६५ ॥ શદાર્થ:––વસ્તુતઃ જોતાં સ્યાદાદ મુકાવડે સર્વ પદાર્થો મુદ્રિત છે, એવી શ્રદ્ધાને વ્યવહારથી સમ્યફ દન કહે છે. નિશ્ચય સમ્યકત્વના ત્રણ ભેદ છે, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. આ ત્રણ ભેદ નિશ્ચય સમ્યકુત્વના જાણવા. અનન્તાનુબધી ક્રોધ, માન, માયા અને લોભ, તેમજ સમ્યકુત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય એ સાત પ્રકૃતિના ઉપશમપણાથી ઉપશમ સ ત્વ પ્રાપ્ત થાય છે અને એ સાત પ્રકૃતિયોના ક્ષયોપશમપણાથી ક્ષયોપશમ સભ્યત્વ પ્રાપ્ત થાય છે અને એ સાત પ્રકૃતિના સંપૂર્ણ ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy