SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૪) શાસ્ત્રોમાં અરિહંત સિદ્ધવજીસ્સાદા વગેરે મા દેખાડ્યા છે તે વાંચવામાં આવે છે, તે પણ ગુરૂગમવિના તે ચાલતું નથી, માટે ગુરૂગમથી તેનું સ્વરૂપ સમજી લેવું. મન્ટોના જે જે કપ પૂર્વાચાર્યાએ લખેલા છે તે અત્ર દાખલ કરતાં ગ્રન્થગૌરવ વધી જાય અને ગુરૂગમ તો લેવી જ પડે તેથી ગુરૂમુખથી તેનું સ્વરૂપ સમજવું. નાભિકમળમાં સોળ પાંખડીનું કમળ ચિંતવી તેમાં થી તે ઉપર્યત શોલ સ્વરોને સ્થાપન કરવા અને તેનું અનુક્રમે ધ્યાન ધરવું. - હૃદય કમળમાં ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવી તેમાં થી તે - પર્યત અક્ષરો અનુક્રમે કમલ પાંખડીઓમાં સ્થાપન કરવા અને મને કીકામાં સ્થાપન કરવો. મુખમાં આઠ પાંખડીવાળા કમલની કલ્પના કરવી, જેમાં બાકીના યથી તે પર્યત અક્ષરોનું અનુક્રમે ધ્યાન ધરવું. આ પ્રમાણે અક્ષરોનું ધ્યાન કરતો છતો, યોગી ચિત્તની ચંચળતા વારે છે અને શ્રુતજ્ઞાનનો પારગામી થાય છે. પૂર્વ કહ્યા એ વર્ણોને વિધિપૂર્વક ધ્યાન કરનાર યોગી નિમિત્ત જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે; અમુક વખતે અમુક થશે ઇત્યાદિ સર્વ બાબતોને જાણી શકે છે. ઘણા કાળપર્યત એકાગ્રચિત્તથી ધ્યાન ધરવાથી અનેક સિદ્ધિયોની પ્રાપ્તિ થાય છે. अहेमन्त्रनुं ध्यान. મનને એકાગ્ર કરી યોગી મહેંમંત્રનું ધ્યાન ધરતો છતો યાવત મોક્ષની પદવી પામે છે, અહંમંત્ર સમાન કોઈ મંત્ર નથી, મમત્રનું એવી રીતે ધ્યાન ધરવું કે મનમાં તેનું જ સ્વરૂપ રમી રહે, તે વખતે અન્ય પદાર્થનું મરણ ન થાય, તેમજ તે પણ હાલે નહિ, હૈં અક્ષર ઉપરથી નક્ષત પમાય તેવી રીતે ધ્યાન ધરવું. શ્કારનું ધ્યાન, હૃદયકમળથિત સંપૂર્ણ શબ્દ, બ્રહ્મબીજભૂત સ્વર, તથા વ્યંજન સહિત પંચપરમેષિપદ વાચક, તેમજ ચંદ્રકલામાંથી ઝરતા અમૃતના રસે કરી ભિંજાતા, મહામત્ર ઓંકારનું કુંભક પ્રાણાયામપૂર્વક ધ્યાન ધરવું. પંચપરમેષ્ઠિનો વાચક કાર શબ્દ છે, કારમાં અપૂર્વશક્તિ છે. કારમાં સર્વ મંત્રનો સમાવેશ થાય છે. અપૂર્વ કાર મન્ત્રનું જે ચોગિયો ધ્યાન ધરે છે તેઓ મનરૂપ મર્કટને વશ કરી પરમશાન્તિને પામે છે. કારવા સ્વરૂપાર્થને ધ્યેયરૂપે સ્વીકારીને તેમાં ચિત્તની એકાગ્રતા કરતાં વિક૯પ સંક૯પનો નાશ થાય છે. આ કારનું ધ્યાન ધરતાં રજોગુણ અને તમોગુણ નાશ થાય For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy