________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫ )
છે અને સત્ત્વગુણ યથાશક્તિ પ્રયત્નથી ખીલે છે, તે વખતે મનમાં આનન્હની ઝાંખીનો અપૂર્વ સમતારસ અનુભવાય છે. વાણી ઉપર ઓંકારનું ઘણા કાળ પર્યંત ધ્યાન ધરવાથી વચનની સિદ્ધિ થાય છે. કાર જેવી જગ માં અમૂલ્ય વસ્તુ કોઈ જણાતી નથી. વિશેષ શું ? કારનું પરિપૂર્ણ સ્વરૂપ સમજાય છે, ત્યારે પદસ્થ ધ્યાન કરનાર યોગિયોને અપૂર્વે ખુબીઓ
હસ્તગત થાય છે.
મહામંત્રનું ધ્યાન,
E
ો ની શ્રો અહૈ નમઃ આ મહાન ચમત્કારીક મન્ત્ર ભણતાં અનેક શક્તિયોનું સ્થાન યોગી અને છે.
અનેક પ્રકારનું પદસ્થધ્યાન છે, તેનો પાર કેવલીભગવાન પામે છે. અનેક શાસ્ત્રોમાં અનેક રીતિએ પદ્મસ્થધ્યાન કરવાની યુક્તિઓ બતાવી છે. પદસ્થધ્યાનના આલંબનથી આત્માના સ્વરૂપમાં ઉતરવું. પદ્મસ્થધ્યાનની પેલીપાર જવામાટે પદ્મસ્થધ્યાનનું અવલંબન કરવું જોઇએ. જેની જેવી વૃત્તિ હોય છે તેને તેવું ફળ, પદ્મસ્થધ્યાનથી પ્રાપ્ત થાય છે.
रूपस्थध्यानना विचार.
સમવસરણમાં બેઠેલા તીર્થંકરનું સ્વરૂપ ચિંતવવું, તે આદિને રૂપસ્થધ્યાન કહે છે. ભગવાનની પ્રતિમા આગળ વિનયપૂર્વક બેસી એકાચિત્તથી ભગવાના ગુણોનું સ્મરણ કરવું અને તેવા સદ્ગુણો કે જે પોતાના આત્મામાં આચ્છાદ્રિત રહ્યા છે, તેને પ્રગટ કરવા ધ્યાન ધરવું. આઠ કર્મ રૂપી છે અને તેના સમ્બન્ધમાં પોતાનો આત્મા, અનાદિકાળથી રહ્યો છે. રૂપમાં રહેલો એવો મારો આત્મા વસ્તુતઃ રૂપથી ન્યારો છે. સિદ્ધના સમાન અનંતગુણમય છે, ઇત્યાદિ જે ભાવના ભાવવી તેને રૂપધ્યાન કહે છે. રૂપમાં રહેલો હું છું પણ રૂપથી ન્યારો છું. મારો આત્મા, ગુણોવડે સત્તાથી પંચપરમેષ્ઠિરૂપ છે. સર્વ ગુણોને પ્રગટ કરવા માટે મ્હારો ઉદ્યમ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણાંવડે મ્હારી આત્મા શોભાયમાન છે. ઇત્યાદિ વિચારો રૂપસ્થ
ધ્યાનમાં કરવા.
रूपस्थध्याननुं फळ.
રૂપધ્યાનવડે આત્મા પરમાત્મદશાને મેળવે છે. આત્મામાંજ પરમામદશા રહી છે, પણ ધ્યાનવિના તે પ્રગટતી નથી. રૂપસ્થધ્યાનવડે વિ કલ્પસંકલ્પવાળી ચિત્તદશાનો નિરોધ થાય છે, અનેક પ્રકારના મોહના ઉછાળાઓ સ્વયમેવ શાંત પડી જાય છે. રૂપધ્યાનથી અનેક શક્તિયો પ્રગટે છે અને મનની નિર્મલતા સહેજે થાય છે,
યો. ૨૪
For Private And Personal Use Only