SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨ ) कायबलमां ध्यानसंयम. કાયખલમાં ધ્યાનસંયમ કરવાથી કાયાનું બળ અતી વૃદ્ધિ પામે છે. કાયામાં વિશેષ અળનો આરોપ કરી સંયમ કરવાથી કાયાની સ્ફૂર્તિ તથા કાયાનું બળ વૃદ્ધિ પામે છે, કાયામાં રહેલા રોગોનો નાશ થાય છે. જે મલ્લો કસરત કરી કાયાનું બળ વધારે છે તેમાં પણ તેઓ અમારા લખવા પ્રમાણે સયમનો આશ્રય લે છે. કારણ કે મલ્લોની ચિત્તવૃત્તિ તો વારંવાર ખાતાં, પીતાં, ખોલતાં અને ચાલતાં પણ કાયાના અળમાં રહે છે, તેથી સહેજે તેઓ કાયબળનો સંયમ કરી કાયખળમાં અમુક વખત પર્યંત વધારો કરે છે. કાયમળમાં ચિત્તવૃત્તિની સ્થિરતાપૂર્વક ધ્યાન ધરવાથી કાચાના અળમાં વધારો થયા કરે છે. કાયામાં જેનું બળ ઇચ્છવું હોય તેનો સંયમ કલાકોના કલાકો પર્યંત કર્યા કરવો, એમ રાત્રીદિવસ સતત અભ્યાસથી કાયાનું ખળ વૃદ્ધિ પામવાના સંયોગો પણ મળી શકે છે. પૂર્વભવમાં જેણે આ પ્રમાણે સંયમ સેવ્યો હોય છે તે આ ભવમાં પણ કાયાના બળને પ્રાપ્ત કરે છે અને મલ્લ તરીકે વા અન્ય નામથી, પણ જગમાં કાયાથી બળવાન ગણાય છે. ઇત્યાદિ. वाणीवलमां संयम. વાણીબળમાં ધ્યાનસંયમ કરવાી વાણીનું બળ ખીલે છે અને વાણીદ્વારા બોલાતા શબ્દો ઉપર કાબુ મૂકી શકાય છે. વાણીબળમાં સંયમ કરનાર પોતાની વાણીથી હજારો વા લાખો મનુષ્યોને અસર કરી પોતાના વશમાં લેઈ શકે છે. વાણીમાં એક જાતનો ચમત્કાર પ્રગટે છે. વાણીમળમાં સંયમ કરવાથી વિજલીના કરતાં પણ વિશેષ અસર અન્યોને થાય છે. વાણીખળમાં સંયમ કરવાથી પ્રતિદિન વાણીનું વલણ બદલાતું જાય છે અને જે શબ્દોમાં જેટલું માહાત્મ્ય હોય છે તે જાણી શકાય છે. વાણીના ભેદોનું જ્ઞાન, પ્રતિદિન થયા કરે છે. વાણીમળ સંયમથી ભવિષ્યભવમાં વાણીની ઘણી શક્તિયો ખીલે છે; વાસંયમીની વાણી સાંભળવા લોકો આતુર રહ્યા કરે છે, તેમની વાણી જેવી અસર કરવા ધારે તેવી થઈ શકે છે. ૬, ક્ષેત્ર, કાળ અને ભાવથી અમુક વાણીમાં અમુક લાભ છે તે જણાઈ આવે છે. વાણીસંબન્ધી અનેક પ્રકારનું વિશેષ વિશેષ પ્રકારે જ્ઞાન ખીલ્યા કરે છે. ઇત્યાદિ. मनोबल संयम. મનોબળમાં સંયમ કરવાથી મનોબળ વૃદ્ધિ પામે છે. મનની નિર્ભલતા નાશ પામે છે. મનોબળથી જે જે વિચારો કરવામાં આવે છે તેનું પોતાના ઉપર અને અન્યના ઉપર અપેક્ષાએ સારી રીતે અસર થાય છે. મનમાં જે જે વિચારો કરવામાં આવે છે તે માં ફરી જતા નથી. મનો For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy