SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૮૧ ) સિદ્ધાંતે જાણી શકે છે. ચક્ષનું બળ વધવાથી વસ્તુને સત્યવ્રુષ્ટ બની શકે છે. ઇત્યાદિ. ઘ રમાં સંચમસ્થાન, ધ્રાણેજિયમાં સંયમધ્યાન કરનારો ગધગુણ વિશિષ્ટ જે જે પદાર્થો છે તેનું સારી રીતે જ્ઞાન કરી શકે છે. ગ્રાણેન્દ્રિયની શક્તિને ઘાણી તાજી કરી શકે છે. સુગંધ અને દુર્ગધનું છેટે રહ્યા છતાં પણ જ્ઞાન થાય છે. સુગંધી અને દુર્ગધી પુલોથી સારી અને ખોટી અસર મનુષ્યો ઉપર કેવી રીતે થાય છે તે જાણી શકાય છે. ગધના પુલોમાં શુભાશુભ ફેરફારો જે ક્ષણે ક્ષણે થાય છે તેનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી, સારી રીતે જ્ઞાન થાય છે. વિશેષ શું કહેવું ? ગધનાં પુગલો સંબધી જે જે સાયન્સ વિદ્યાના નિયમો છે તે સર્વની દુચીઓનું દિવ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. रसनेन्द्रियमां ध्यानसंयम. રસનેન્દ્રિયમાં ( જીલ્લામાં) ધ્યાનસંયમ કરવાથી રસનું જ્ઞાન થાય છે. રસના કેટલા ભેદ છે, રસના પુદ્ગલોમાં કે ફેરફાર થાય છે, તેનો અનુભવ થાય છે. રસનેન્દ્રિયજ્ઞાનને ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. રસવાળા પદાથની પરીક્ષા થઈ શકે છે. શુભ અને અશુભ રસોમાં ક્ષણે ક્ષણે હાનિ વૃદ્ધિરૂપ જે ફેરફારો થયા કરે છે તેનું અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અશુભ રસના પુદ્ગલોને શુભસવાળા કેવી રીતે કરી શકાય તે બરાબર સમજી શકાય છે. રસસંબન્ધી પ્રતિદિન ધ્યાનના બળથી વિશેષ પ્રકારે જ્ઞાન થતું જાય છે. રસસમ્બન્ધી સાયન્સ વિદ્યાના જે જે નિયમ છે તે સર્વનું રહસ્ય સારી રીતે જાણી શકાય છે. स्पर्शन्द्रियमां ध्यानसंयम. ત્વચામાં ધ્યાનસંયમ કરવાથી, સ્પર્શના આઠ પ્રકારના ભેદો વગેરેનું સારી રીતે જ્ઞાન થાય છે. વસંબંધી જ્ઞાનની વૃદ્ધિ થાય છે. સ્પર્શવાળા પુદ્ગલોનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સારી રીતે જ્ઞાન થાય છે. સ્પર્શવાળા પુલમાં ક્ષણે ક્ષણે જે ફેરફાર પ્રસંગોપાત્તથી થયા કરે છે તેનું સમ્યગ જ્ઞાન થાય છે. સ્પીના મુગલોમાં સ્પર્શની હાનિવૃદ્ધિ થવાના અનુક્રમોનું જ્ઞાન થાય છે. શુભ અને અશુભ સ્પશની અપેક્ષાઓ વ્યક્તિ પરત્વે જુદી જુદી હોય છે તે બરાબર સમજાય છે. સ્પર્શને પગલોમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રહ્યું છે તેનો અનુભવ આવે છે. જગતુમાં સ્પર્શવંત પુગલોની જે જે વગાઓ, જેવા જેવા રૂપે રહેલી છે તેનું, તેવા પ્રકારે જ્ઞાન થાય છે. ઇત્યાદિ. For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy