SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૯ ) ब्रह्मरन्ध्रमां संयमध्यान. બ્રહ્મરામાં સંયમ ધ્યાન કરવાથી દિવ્યપુરૂષો કે જે સિદ્ધ મહાત્માઓ છે તેઓનાં દર્શન થાય છે. મહાત્માઓનાં દર્શન કરવાથી ઘણાં પાપોનો નાશ થાય છે, ધર્મશ્રદ્ધામાં વિશેષતઃ વૃદ્ધિ થાય છે અને મહાત્માઓ તેને આગળ ચઢાવે છે. આવી રીતે તે આગળ વધતો જાય છે અને પોતાનાથી પાછળ રહેલાઓને પણ તે ચઢાવે છે. મહાત્માઓના દર્શનથી અનેક પ્રકારની શંકાઓ ટળી જાય છે, મનની એકાગ્રતા થાય છે અને શરીર બદલવાનું ગુપ્ત જ્ઞાન પણ યોગ્યતા પ્રમાણે પ્રગટતું જાય છે; તેવી રીતે યોગીને નવા નવા અનુભવો દેખાય છે તેથી હર્ષ પામે છે અને તેથી તે અહર્નિશ આગળ વધવા પ્રયત્ન કરે છે અને તે શુકલ ધ્યાનનો ધ્યાતા થાય છે. જગત્માં દરેક ઠેકાણે રહેલી રૂપી વસ્તુઓને જાણવાની–અવધિજ્ઞાનની શક્તિ પ્રાપ્ત કરે છે અને અંતે રૂપાતીત ધ્યાનવડે સિદ્ધ પરમાત્મા થાય છે. हृदयमां ध्यान संयम. હૃદયમાં સંયમ કરવાથી પોતાના અને પરના મનના વિચારો જણાય છે, હૃદયની સાત્ત્વિકતા વૃદ્ધિ પામે છે. હૃદયમાં થતા વિચારોની સંકલનાનો અનુક્રમ માલુમ પડે છે, અન્યના હૃદયમાં રહેલા વિચારો જાણી શકાય છે. હૃદયની શુદ્ધિ થાય છે અને આત્માના ગુણોની અહર્નિશ વૃદ્ધિ થયા કરે છે. હૃદયમાં જે જે જ્ઞાનનો ભાસ થતો જાય છે તેની સત્યતાની પ્રતીતિ થાય છે. વિકલ્પ અને સંકલ્પોના સમૂહને એકદમ અટકાવવાની કુંચીઓ પ્રાપ્ત થાય છે. સત્ત્વગુણની વૃદ્ધિ થતાં આત્માના આનન્દ્રની પ્રતીતિ થાય છે. હૃદયમાં રહેલા તમોગુણ અને રજોગુણનો પ્રતિદિન ક્ષય થતો જાય છે, હૃદયની ઉચ્ચતા કરવાના ઉપાયોનો ભાસ થતો ાય છે, ધારણાજ્ઞાનની વૃદ્ધિ થતી જાય છે, રાગ અને દ્વેષાદિ વિકારોનો ઉપદ્રવ અર્નિશ શાન્ત તો તુય છે, આત્માની ઉચ્ચતામાં વૃદ્ધિ થતાં અને પરમાત્મપ મળે છે. मनोवर्गणामां संयमध्यान. મનોવર્ગણામાં સંયમ કરવાથી મનોવર્ગણાનો અનુભવ પ્રાપ્ત થાય છે. મનોવર્ગણાની શક્તિનો અનુભવ મળે છે. મનોવર્ગાદ્વારા થતા વિચાર સંબંધી અનેક પ્રકારનું જ્ઞાન થાય છે. નોર્ગા ( મનોદ્રવ્ય )ની સાથે લેશ્યાનો જે સંબન્ધ છે તથા અધ્યવસાયનો જે સંબન્ધ છે તેનું જ્ઞાન થાય છે. મનોવર્ગણા સંબન્ધી અનુક્રમ શો છે તેનો ભાસ થતો ાય છે. મનોવર્ગણામાં વિશેષ સંયમ કરવાથી મન પર્યવજ્ઞાન પ્રગટે છે. અન્ય જીવોના મનમાં જે For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy