SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) વૈર કરે છે તેમાં તેઓનું અજ્ઞાન છે. ખરેખર અજ્ઞાનના રોગથી તેઓ રોગી છે, માટે તેઓના ઉપર દયાદષ્ટિથી દેખવું જોઈએ અને તેઓનું ભલું કરવું જોઈએ. આ પ્રમાણે સતત અભ્યાસ કરવાથી મનમાંથી વૈરના સંસ્કારી જતા રહે છે અને તેથી મનનો પ્રત્યાહાર સિદ્ધ થાય છે. મનનો પ્રત્યાહાર સિદ્ધ વિના મનુષ્ય ધારણાની યોગ્યતા સિદ્ધ કરી શકતો નથી માટે મનના દોષો દૂર કરવા પ્રયાસ કરવો જોઈએ. મનમાં પ્રગટતા સર્વ દોષને ટાળવા માટે અત્યંત નીચ્છા થવી જોઈએ. જે પુરૂષો મનની શુદ્ધિ કરે છે તેમજ આ માના ઉત્તમ સગુણે ધારણ કરવાને યોગ્ય થાય છે. અનેક પ્રકારનાં બાહ્યકાર્ય કરતાં છતાં પણ રાગશ્રેષાદિ દુર્ગુણોને ટાળી મનની શુદ્ધિ પ્રાપ્ત કરવી. મનના પ્રત્યાહારની પરિપૂર્ણ સિદ્ધિ કરવામાં આવશે તો ધારણમાં પ્રવેશ થતાં વાર થશે નહિ. અશુભ રાગ અને દ્વેષ છે તેને શુભ રાગ અને દ્વેષ તરીકે ફેરવી નાખવા જોઈએ, આ યુક્તિ પણ પ્રથમ ભૂમિકામાં અવશ્ય આદરવાલાયક છે; એકદમ કંઈ સર્વથા રાગ અને દ્વેષને નાશ થાય એમ તે બની શકવું મુશ્કેલ છે; કોઈ સાનિ મહાત્માઓને તે તેમ પણ બની શકે પણ અજ્ઞાનીને તેમ બની શકે નહીં, માટે તેઓને તો શુભ રાગદ્વેપ પ્રવૃત્તિ કરવી પડે છે. મોક્ષના હેતુઓમાં જે રાગ અને દ્વેષ થાય છે તેને શુમરા અને દેવ કહે છે. શુભ રાગ અને દ્વેષની ભાવના નીચે મુજબ સમજવી. “રામ રાજ જે છુમ ." | સગુણ ઉપર રાગ કરવો તે મુખ્યતાએ શુભ રાગ કહેવાય છે. દુર્ગણે ઉપર દેષ કરવો તે કાચ કહેવાય છે. દેવ ગુરૂ અને ધર્મની શ્રદ્ધામાં રાગ ધારણ કરવો તે પ્રાચ રાજ છે. દેવગુરૂ અને ધર્મની શ્રદ્ધા ન થવા દે એવા હેતુઓ ઉપર ટૅપ કરવો તે રાજ્યપ કહેવાય છે. જ્ઞાન દર્શન અને ચારિત્ર એ મુક્તિનો માર્ગ છે. એ ત્રણ તથા એ ત્રણના હેતુ ઓપર જે રાગ ધારણ કરાય છે તે જ છે જ્ઞાન તન અને વારિત્રમાં વિઘભૂત થતા આવરણોપર જે ટેપ કરવો તે શરામ્ય કહેવાય છે. અપ્રશસ્ય રાગ કરતાં પ્રશસ્ય રાગ અત્યંત ઉત્તમ છે. અપ્રશસ્ય દ્વેષ કરતાં પ્રશસ્ય દ્વેષ અત્યંત ઉત્તમ છે. પ્રાચ રાજી અને ફાસ્ય દેવ કરતાં શુદ્ધ ભાવની પરિણતિ અનન્તગણી ઉત્તમ છે. પ્રાચ રાન અને પ્રશસ્ય કૅપમાં અશુભ રાગાદિ ફેરવી નાખવા જોઈએ. અપ્રશસ્ય રાગ દ્વેષથી પાપનાં દલિકોને આત્મા ગ્રહણ કરે છે અને રાજ્ય માં અને દ્વેષથી પુણ્યનાં દલિકોને આત્મા ગ્રહણ કરે છે. સમકિતી જીવ પ્રશસ્ય રાગ અને પ્રશસ્ય દ્વેષથી પુણ્યાનુબંધી પુણય બાંધે છે. પ્રશસ્ય રાગ અને દ્વેષની અત્યંત ચડતી For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy