________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ )
કરી શકે નહિ; આમ આત્મજ્ઞાન પૂર્વક સતત અભ્યાસ કરવાથી, ક્ષણે ક્ષણે મમતાની વાસના ઓછી થતાં થતાં અંતે સમતારહિત દ્રવ્ય મન રહેશે. આ પ્રમાણે મમતા દૂર કર્યાથી મન:પ્રત્યાહારની સિદ્ધિ થશે.
46
""
ईर्ष्यानो त्याग.
આત્મધર્મ સાધકોએ ઇર્ષ્યાનો ત્યાગ કરવો જોઇએ, પરની ઉન્નતિ દેખી આપણે શામાટે ઇર્ષ્યા કરવી જોઇએ ? ઇર્ષ્યા કરનાર આ ભવમાં અને પર ભવમાં સુખી થતો નથી, ઇર્ષ્યા કરનાર વિનાપ્રયોજને સદાકાલ મનમાં બળતો રહેછે, ઇર્ષ્યાળુ પોતે પણ અળે છે અને અન્ય પુરૂષોને પણ ખાળે છે, ઇર્ષ્યાવંત પુરૂષ અનેક દોષોનું આલય અને છે, ઈર્ષ્યાવંત પુરૂષોએ જગમાં અનેક યુદ્ધો કર્યાં છે અને અદ્યાપિ કરે છે. ઇર્ષ્યાળુ પુરૂષો રાગદ્વેષમાં વિશેષતઃ ફસાઈ જાય છે. ઇર્ષ્યાળુ પુરૂષની ઉન્નતિ થતી નથી પણ ઉલટી વ્હેની અવનતિ થાય છે. ઈર્ષ્યાળુ પુરૂષ અન્યની ઉન્નતિને દેખી સહન કરતો નથી તેનું કારણ એ છે કે તે પોતાનીજ ઉન્નતિ ઇચ્છે છે; ઇર્ષ્યાળુ મનુષ્યો, અન્યની ઉન્નતિ બીલકુલ ખમી શકતા નથી. અજ્ઞાનથી ઈર્ષ્યાનો દોષ પ્રતિદિન વૃદ્ધિ પામ્યા કરે છે, અજ્ઞાની મનુષ્ય અહંમમત્વાધીન થઈ પરવસ્તુમાં લયલીન થઈ રહે છે. અહં. કારમાં અંધ થએલા જીવો પોતાની આત્મિક ઉન્નત દેખી શકતા નથી. ઇર્ષ્યાના યોગે જીવો મોક્ષમાર્ગાભિમુખ થઈ શકતા નથી, ઉલટા વારંવાર બાહ્યવૃત્તિને સેવી અધોગતિને પ્રાપ્ત કરે છે. પારકાની ઉન્નતિને પોતાની માની જે પુરૂષો પ્રમોદભાવને ધારણ કરે છે તેમને સદાકાલ નમસ્કાર હો. રાજાને રાજાસાથે, વકીલને વકીલસાથે, વિદ્વાનને વિદ્વાનસાથે, વેશ્યાને વેશ્યાસાથે, વ્યાપારીને વ્યાપારીસાથે, શિક્ષકને શિક્ષકસાથે, પ્રોફેસરને પ્રોફેસરસાથે, હઠયોગીને હઠયોગીસાથે, મલને મધુસાથે, વાદીને વાદીસાથે, કારીગરને કારીગરસાથે, વક્તાને અન્ય વક્તાસાથે, અને સ્ત્રીને શોકસાથે, પ્રાયઃ ઈર્ષ્યા હોય છે. ઈર્ષ્યારૂપ દાવાનલમાં પડેલા જીવો ક્ષણમાત્ર પણ ખરી શાંતિ પામી શકતા નથી; ઇર્ષ્યાથી નિરાંતે નિદ્રા પણ આવતી નથી. ઈર્ષ્યામાં ઘેરાયલા જીવોની શુદ્ધબુદ્ધિ રહેતી નથી. ધવલ શેઠે શ્રીપાલરાજ ઉપર ઇર્ષ્યા કરી પણ ઉલટું શ્રીપાલનું અહિત કરતાં કરતાં પોતાનું અહિત થઈ ગયું. ખાડો ખોદે તે પડે તેની પેઠે ઇાલુ પુરૂષ પોતેજ ઇર્ષ્યાના ખાડામાં પડીને નીચ અવતાર પામે છે. અરે ઇર્ષ્યા ! જગમાં તુંજ જ્યાં ત્યાં કલેશ કરાવે છે, જ્યાં ત્યાં વેરઝેરનાં બીજ હે ઇર્ષ્યા! તુંજ વાવે છે; તારા સંગમાં આવેલા જીવો કદી સુખી થતા નથી અને તે પામર જીવો સદાની શાંતિ પામી શકતા નથી; માટે તું ઈર્ષ્યા એક રાક્ષસી સરખી ગણાય છે. હે ઇર્ષ્યા ! હારી સંગતિ ત્રણ કાલમાં કોઈને સુખની આપનારી નથી, ત્હારી દુષ્ટતાનું જેટલું વર્ણન કરીએ તેટલું ઓછું છે. હે અભાગી ! ત્હારા આવવાથી મોટા મોટા સંતપુરૂષો પણ મુક્તિના
For Private And Personal Use Only