________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪૭ )
माननाश करवाना उपायो.
લઘુતા ધારણ કરવાથી માનનો નાશ થાય છે. પૂર્વના મહપુરૂષોની આગળ હું સામાન્ય છું, એવી ભાવના ભાવવાથી અહંકારનો વેગ ઉતરે છે. જે જે પ્રકારથી માન ઉતરે તેવી તેવી ભાવનાઓ ભાવવી જોઇએ. મનમાં ચિંતવવું કે હું તો આત્મા છું તેથી ખાઘવસ્તુઓની મોટાઈ મ્હારામાં કલ્પીને અહંકાર કરી શકાયજ નહીં. હું તો અગુરૂ લઘુ સ્વભાવવાળો આત્મા છું. મ્હારામાં જ્ઞાનગુણ ઉત્પન્ન થાય તેમાં શું આશ્ચર્ય છે કે તે સંબન્ધી અભિમાન કરવો જોઇએ ? અલબત અભિમાન ન કરવો જોઇએ. જાતિ અને બાહ્યનું ધન છે તેનાથી હું આત્મા ભિન્ન છું ત્યારે તેનો અભિમાન કરવો એ મ્હને બિલકૂલ ઘટતો નથી. અનેક લક્ષ્મીપતિયો ધનનો અહંકાર કરી આત્મિક સુખ પામ્યા નથી. તિનો અહંકાર કરનારાઓ જો આત્મતત્ત્વનું જ્ઞાન કરે તો તેઓ જાતિનો અભિમાન કરી શકે નહીં. જાતિ છે તે આત્માની નથી. જાતિ તો વર્ણઆશ્રયી છે . માટે તેનો અહંકાર કરવો તે ખરેખર અજ્ઞાન છે. ખાદ્યનું અનેક પ્રકારનું ઐશ્વર્ય મળે તેમાં આત્માનું કંઈ પણ તત્ત્વધન નથી; માહ્યનું ઐશ્વર્ય ક્ષણિક છે. રાવણ, રામ, કૌરવ અને પાંડવો જેવા પણ બાહ્યના ઐશ્વર્યથી આત્મિક શાંતિ પામ્યા નથી. સિકંદરખાદશાહ જેવા પણ અંતે ઘોરમાં દટાયા. ક્ષણિક વસ્તુઓનો અભિમાન કરવો તે કોઈ રીતે યોગ્ય નથી. પૂર્વપુણ્યયોગે બાહ્યની ગમે તેવી ઉચ્ચ સત્તા મળે તોપણ જ્ઞાનદષ્ટિથી વિચારતાં તેમાં અહંકાર કરવાનું કંઈ પણ કારણ સમજાતું નથી. તન, ધન, અને ચૌવન, ક્ષણિક છે. આત્મજ્ઞાનથી જોતાં સત્તા-આદિ પણ ક્ષણિક સમજાય છે. આત્મજ્ઞાન થતાં અહંકારનું જોર ઘટી જાય છે. પોતાનું માન પણ નથી અને આત્માનું અપમાન પણ નથી, ત્યારે અહંકાર શામાટે કરવો જોઇએ ? માનમાં ફુલી જનારાઓનાં નામઠામ પણ દુનિયામાં રહ્યાં નથી, ઉલટું તેઓ અશુભગતિમાં જઈ દુઃખના ભાગી બન્યા. બાહ્યની ઉચ્ચ દશામાં અહંકાર કરવો ન જોઇએ. અહંકાર મનનો ધર્મ છે. મનના ધર્મોને આત્માના ધર્મો કલ્પવા એ અજ્ઞાન છે; માટે મનમાં ઉત્પન્ન થતા અહંકારને ટાળતાં મનપ્રત્યાહારની સિદ્ધિ થાય છે.
मायानुं स्वरूप.
માયા ( કપટ ) જગમાં અનેક પ્રકારની જન્મમરણની ઉપાધિમાં ફસાવે છે. ખાને વા પોતાને ગમે તે રીતે છેતરવાનો મન, વચન, અને કાયાથી પ્રયત્ન કરવો તે પટ કહેવાય છે. કપટનો ખાડો ખોદે તે પડે એ કહેણી જગમાં ચાલે છે તે ખરેખરી સત્ય છે. કપટ કરનાર અનેક પ્રાણીઓનું ભૂંડું કરીને પોતાનું પણ ભંડું કરે છે. અનાદિકાળથી જીવો કપટ કરે
For Private And Personal Use Only