________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ )
કરી ઉદર ફેફસાંમાં કુંભક કરી જમણી નાસિકાથી રેચક કરવો. ૪–૧૬–૮ એમ વધતાં વધતાં ૨૦-૮૦-૪૦ તેમ જ ૫૦-૧૨૦-૧૦૦ સુધી વધવું. પૂર કુંભક અને રેચકમાં કારનું ચિંતવન કરવું. દરરોજ ચાર વખત પ્રાણાયામ કરવા. એકી વખતે એંશી પ્રાણાયામ કરવા, આમ દરરોજ ત્રણ ચાર માસ સુધી પ્રાણાયામ કરવાથી નાડીયોની શુદ્ધિ થાય છે.
૧ ઉદરમાંથી ઘણા પ્રયત્નપૂર્વક વાયુને નાસિકામાંથી બહાર કાઢવો તેને દેવમાળાયામ કહે છે.
નાભિકમ
૨ બહારથી નાસિકાદ્રારા વાયુને ખેંચીને ગુદાદ્વારપર્યંત પૂરવો, લમાં સ્થિર કરવો, તેને કુંભક કહે છે.
૩-૪ એક સ્થાનથી સ્થાનાંતરમાં વાયુને લેઈ જવો, તેને ચાદ્દાર કહે છે. અને તાળવું નાસિકા તથા મુખદ્વારથી વાયુનો નિરોધ કરવો તેને શાસ્ત કહે છે. શાંત અને કુંભકમાં એટલોજ ફેર છે કે કુંભકમાં, નાભિકમળમાં વાયુને રોકવામાં આવે છે અને શાંતમાં તેવો નિયમ નથી. પણ નીકળવાનાં સ્થાનોથી વાયુને રોકવો તેવો સામાન્ય નિયમ છે. ૫-૬ અહારના વાયુનું પાન કરી ચે ખેંચી હૃદયાદિકમાં ધારવો તેને ઉત્તર પ્રાણાયામ કહે છે. અને તેથી અવળી રીતે નાભિ આદિ નીચા પ્રદેશમાં વાયુને ધારી રાખવો તેને અધરવાળાયામ કહે છે.
છ નાસિકાદ્વારા વાયુને ખેંચી અંદર પૂરવો તેને પૂરત્રાળાયામ કહે છે. રેચકપ્રાણાયામથી ઉત્તરની વ્યાધિ અને કફનો નાશ થાય છે. પૂરક પ્રાણાયામના યોગે શરીરની પુષ્ટિ થાય છે, તથા અનેક રોગોની શાંતિ થાયછે.
કુંભફપ્રાણાયામ કરવાથી હૃદયકમલ વિસ્વર થાય છે, અંદરની ગાંઠ ભેદાય છે, શરીરમાં બળની વૃદ્ધિ થાય છે, ચિત્તની સ્થિરતા થાય છે, હૃદયના રોગો શમે છે. પ્રત્યાહાર પ્રાણાયામથી સન્નિપાતની શાંતિ થાય છે. ઉત્તર અને અધરપ્રાણાયામની સેવાથી કુંભકની સ્થિરતા થાય છે.
ઇંડા અને પિંગલાના પ્રાણવાયુમાં પિંગલાનો પ્રાણવાયુ પ્રખલ છે અને ઇંડાનો પ્રાણવાયુ નિર્મલ છે. ઇંડા નાડીનો પ્રાણવાયુ પ્રવાહ, મગજ અને કરોડ રન્જુરૂપી વિદ્યુત્ ઉત્પન્ન કરનાર યંત્રસ્થાનની ડાબી તરફથી જાય છે અને પિંગલાનો પ્રાણવાયુ તેની જમણી તરફથી જાય છે, તે અન્ને પ્રવાહો બ્રહ્મગ્રન્થિમાં એકઠા મળે છે. જ્યારે કેવલ કુંભક કરવામાં આવે છે ત્યારે બ્રહ્મન્થમાંની ઉષ્ણુતા વધવા માંડે છે અને તેના ધક્કા આધારચક્રમાં રહેલી કુંડલીની શક્તિ ઉપર પડે છે, તેથી કુંડલિની નાડી સર્પાકારે હોય છે તોપણ સિદ્ધિ થઈ જાય છે અને પ્રાણ સિદ્દોજ સુષુમ્હાદ્વારમાં પૈસી પ્રત્યેક ચક્રોને ભેદતો ભેદતો બ્રહ્મરન્ત્રસુધી જાય છે, ત્યારે મનોવૃત્તિ શાંત થવાથી અનેક ભવની
For Private And Personal Use Only