SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) ચાર ઈંચની હોય છે અને તે કરોડની ગરદનના પાંચમા મણકાથી પીઠના બીજા મણકા સુધી જઈ તેના બે વિભાગ થાય છે. તે દરેક ભાગ એક એક ફેફસામાં જાય છે આ દરેક મોટા ભાગના વિભાગા થઈ ફેફસામાં ચારે બાજુએ ફેલાય છે; તેના પણ અનેક ભાગવિભાગ થતાં તેઓ ઘણા સૂક્ષ્મ થાય છે અને તેઓના છેડાના વિભાગોની ખાજુએ તેમજ છેડાઓ ઉપર કરોડો સૂક્ષ્મ પરપોટીઓ હોય છે. એ પારદર્શક હોઈ ફેફસાની ઉપર તથા અંદર રહેલી છે, તેનો મહાન ઉપયોગ થાય છે. એ પરપોટીઓ ઉપર લોહિની કેશવાહિનીઓની જાળ પથરાએલી છે અને તેમાં શરીરનું બગડેલું લોહી ફરે છે. શ્વાસ લીધા પછી બહારની હવા આ પર્મોટીઓમાં ભરાઈ રહે છે. તે હવા અગડેલા લોહીસાથે મળી જઈ અશુદ્ધ લોહીને શુદ્ધ કરે છે. આ રીતે શ્વાસ અને પ્રશ્વાસથી શરીરમાં અનેક ફેર ફાર થાય છે. અન્નનળીની મારફ્તે જે હવા આપણે ગળીએ છીએ તે હોજરી અને આંતરડાંમાંથી પસાર થાય છે અને મળદ્વારવાટે નીકળી જાય છે. જ્યારે હોજરી અને આંતરડાંમાં ખોરાક હોતો નથી ત્યારે થોડી ઘણી હવા ભરેલી રહે છે. તે મુખથી આવતા એડકાર અથવા મળદ્વારથી વાયુ છૂટે છે તે દ્વારા બહાર નીકળી જાય છે. શરીરમાં પાંચ પ્રકારના વાયુ મુખ્યતાએ રહે છે તે નીચે મુજબ, श्लोकः हृदिप्राणोगुदेऽपानः समानो नाभिमण्डले उदानः कण्ठदेशे स्यात्, व्यानः सर्वशरीरगः ॥ १ ॥ હૃદયમાં પ્રાણવાયુ રહે છે, ગુદામાં અપાનવાયુ રહે છે, નાભિમંડલમાં સમાનવાયુ રહે છે, કંદેશમાં ઉદાનવાયુ રહે છે અને સર્વ શરીરને વ્યાપીને વ્યાન વાયુ રહે છે. હું કાળ-શ્વાસદ્વારા બહારનો પ્રાણવાયુ હૃદયમાં રહેનાર, સર્વ પ્રકારની લોહીની ચેષ્ટા કરાવનાર, શરીરને લઘુતા આપનાર તે પ્રાણ વાયુ મુખ, નસકોરાં, ડુંટી, અને હૃદયમાં વહે છે. શબ્દનો ઉચ્ચાર નિ:શ્વાસ ઉચ્છ્વાસ, અને ખાંસીના કારણરૂપ છે. હૃદયમાં પ્રાણવાયુ મંત્ર ચેનું ધ્યાન ધરવું. હૃદયનું અનાહત ચક્ર છે. તે ખાર પાંખડીનું કમળ છે. ખાર અક્ષરથી યુક્ત છે. મંથી તે ઠંસુધી વર્ણોનું ત્યાં સ્થાપન કરી ધ્યાન ધરવાથી તેની સિદ્ધિ થાય છે. તેનો રંગ લાલ છે. આ ચક્ર સાધવાથી દેવતાઓનાં દર્શન થાય છે. પ્રાણવાયુનો લીલો રંગ છે, ૨ પાન-ગુદા, લિંગ કટિ, જંઘા, ઉદર, બે વૃષણ, સાથળ, અને ઢીંચણમાં રહેલો જે વાયુ છે તે પાન જાણવોમળમૂત્રને અહિર કાઢવું તથા For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy