________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭ ) સાથે રહેલો હોય છે; એ ઉષ્ણતા અને શીતતાની અવસ્થા અમુક અવસરમાં આપણા શરીરમાં કેવી છે તે જમણી અને ડાબી નાસિકામાંથી નીકળતા પ્રાણવાયુથી માલુમ પડે છે અને તેથીજ જમણી નાસિકાને સૂર્ય સ્વર કહેવામાં આવે છે. તે શરીરમાં ઉષ્ણતાનો પોષક છે. તેમજ ડાબી નાસિકાને ચંદ્રવર કહેવામાં આવે છે તે શરીરમાં શીતતાનું પોષણ કરે છે. દીવસના ભાગમાં સૂર્યકિરણની ઉણતાથી શરીરમાં વિશેષ ઉષ્ણતાનું પોષણ ન થાય તે માટે શરીરમાં શીતતા રહેવા માટે ચદ્રસ્વર ચલાવવામાં આવે છે. રાત્રીના વખતમાં ચંદ્રકિરણની શીતતાથી શરીરમાં શીતતાનું વિશેષ પષણ અર્થાત્ હદ ઉપરાંત પોષણ ન થાય તે માટે સૂર્ય સ્વર ચલાવવામાં આવે છે કે જેથી શરીરમાં ઉષ્ણતાનો ભાગ રહે અને તેથી બાહિરની શીતતાથી શરીરને હાનિ ન પહોચે; જમણું અને ડાબી નાસિકામાં પાંચ તત્તે વહે છે. પ્રત્યેક તત્ત્વને ભિન્ન ભિન્ન રંગ છે તે ઉપર કહેવામાં આવ્યું છે. અમુક વખતે અમુક તત્તનું શરીરમાં પ્રધાનપણે બળ હોય છે. બધી સૃષ્ટિમાં પણ તે તત્ત્વ તે વખતે પ્રધાનપણે વહે છે. જગતમાં જે જે તત્ત્વ જે જે વખતે પ્રબલ હોય છે તેની અસર પ્રાણવાયુને થાય છે અને પ્રાણવાયુ પણ તે તે વખતે તેવા રંગવાળું બને છે. જેવા આચાર અને વિચારથી મનુષ્યના શરીરમાં ચલન વલન થાય છે, તે તે પ્રમાણે અમુક વખતે અમુક તત્ત્વની પ્રવૃત્તિ થાય છે અને અમુક તત્ત્વ ઘટવા માંડે છે; જગતના તત્ત્વોનો સંબંધ આપણા શરીરની સાથે હોય છે અને તે જમણી અને ડાબી નાસિકાથી આપણે તે તને પારખી શકીએ છીએ તેથી જગ
ના, મનુષ્યના આચાર અને વિચારોને તે તે તદ્વારા સ્વરોદય જ્ઞાનથી આપણે જાણી શકીએ છીએ. જગતમાં થતા શુભાશુભ ફેરફારોને પણ સ્વરમાં વહેતાં તોથી આપણે જાણી શકીએ છીએ. મહાત્માઓ સ્વરતોથી જગતનું ભવિષ્ય જાણી શકે છે. શરીરમાં રોગની ઉત્પત્તિ પણ પ્રાણની વિકૃતિથી જ થાય છે. અમુક વખતે અમુક પ્રાણ પ્રવાહ વહે જોઈએ તે ન વહેવાથી રોગો થાય છે, માટે આપણે તન અને મનને આરોગ્ય રાખનાર પ્રાણવાયુ છે. પ્રાણવાયુને ચલાવવાની રીતિ અને તેને સત્તામાં રાખી મરજી મુજબ ચલાવવાને માટે પ્રાણાયામની ખાસ જરૂર છે. પ્રાણવાયુ હવાને આકર્ષી શકે છે, કોઇના પ્રાણવાયુને આકર્ષીને તે દ્વારા ચમત્કાર પણ કરી બતાવવામાં આવે છે. પ્રાણવાયુનો શરીરમાં અને દલો બદલો પણ પ્રાણાયામને બળથી કરી શકાય છે. પ્રાણવાયુની શુદ્ધિથી વીર્યની વિકૃતિ પણ શમી જાય છે, પ્રાણની સ્થિતિ શરીરમાં સર્વત્ર છે. બરડાની કરોડના ભાગમાં તેને મોટો જથ્થો રહે છે. એમ પશ્ચિમાત્ય વિદ્વાનો કહે છે. બ્રહ્મરન્દ્રમાં પ્રાણતત્ત્વનું મુખ્ય સ્થાન છે. નાડી તંતુઓનું ગુંછળું
For Private And Personal Use Only