SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪) સમાન અવશ્ય કષ્ટ પડે. દૂર ગમનમાં પ્રબલ યોગ લેવો, નિકટ ગમનમાં મધ્યમ યોગ પણ સુખકારી હોય. ઉર્ધ્વદિશાનો પતિ ચંદ્ર છે, અને અધોદિશાનો પતિ સૂર્ય છે. સૌમ્યમાં ચંદ્ર અને કુરમાં સૂર્ય લેવો. સુષુણાનાડી ચાલતાં પરદેશગમન કરવું નહિ. જે જાય તે મરી જાય, અથવા કાર્યની હાનિ થાય. પશમાં વસનારનું પ્રશ્ન, સ્વર અને તત્ત, પરદેશમાં વસનાર સુખી છે કે દુઃખી એવું પ્રશ્ન પૃથ્વીતત્ત્વમાં કોઈ કરે તે જાણવું કે પરદેશમાં વસનાર સુખે પિતાનું કાર્ય કરી ઘેર આવશે, દુઃખી જરા પણ નથી એમ જાણવું. જલત વહેતું હોય તો સુખે કાર્ય કરી વહેલો આવશે. સ્વરમાં પૃથ્વીતત્ત્વનો ઉદય હોય તો જાણવું કે તે સ્થાનકમાં સ્થિર છે. વાયુતત્ત્વમાં પરદેશી એક ઠેકાણેથી બીજે ઠેકાણે ગયો છે એમ કહેવું અને તેના મનમાં કાંઈક ચિન્તા છે એમ જાણવું. અગ્નિતત્વમાં વહેતાં પ્રશ્નથી જાણવું કે પરદેશીને તનમાં મહા પીડા છે. આકાશતત્વમાં તેનું મરણ જાણવું. સ્વરમાં ગામન વગેરેની રીત, ચંદ્રસ્વર ચાલતાં ચાર ડાબા પગલાં સોમવારના દીવસે ભરીને ચાલવું. સૂર્યસ્વરમાં ચાર જમણાં પગલાં ભરીને રવિવારના દિવસે ચાલવું. સ્વરવિચારમાં ઉપયોગ લેવા નથી. જમણું નાસિકા ચાલે ત્યારે ભોજન કરવું. ડાબી નાસિકા ચાલે ત્યારે જલપાન કરવું. શરીરની ડાબી તરફની બાજુ નીચે આવે તેવી રીતે સૂવું, એમ કરવાથી નિરોગી શરીર રહે છે. અથવા ચંદ્ર ચાલતાં ભજન કરે, વા નારીનો ભોગ કરે, સૂર્યસ્વર ચાલતાં જલપાન કરે, એમ વર્તવાથી શરીરમાં રોગ રહે નહિ. ડાબી નાસિકા ચાલતાં વડી નીત કરે, જમણી નાસિકા ચાલતાં લઘુનીત કરે, જમણી નાસિકા ચલાવીને સૂઈ રહે, તો શરીર નિરોગી રહે. કથિતભાવથી વિપરીત સ્વર ચાલે તે તેનું મરણ થાય. દિવસમાં ડાબી નાસિકા ચલાવે અને રાત્રીમાં જમણી નાસિકા ચલાવે એમ સ્વરને અભ્યાસ ચલાવે તો ઉમર ભરપૂર થાય. અઢી અઢી ઘડી પર્યત ડાબી અને જમણી નાસિકા વહે છે. તેર શ્વાસપર્યત સુપુષ્ણા ચાલે છે. - નાસિકા સ્વરથી મરણનું જ્ઞાન, અષ્ટપ્રહર પર્યત જે જમણી નાસિકા વહે તો ત્રણ વર્ષથી અધિક છવાય નહિ. સોળ પહોર સુધી જમણું નાસિકા ચાલે તો બે વર્ષ સુધી જીવવાનું થાય. જમણું નાસિકા જે ત્રણ રાત્રી-દિવસ સુધી ચાલે તે એક વર્ષ પશ્ચાત્ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy