SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦૮) માઘમાસની સાતમ તેમજ વૈશાખ સુદી ત્રીજના પ્રાતઃકાલમાં વર્ષદીવસનું બીજ જેવું. જે ડાબી નારિકામાં જલ અને પૃથ્વીતત્વ ચાલે તો દેશવિદેશમાં સુખ થાય, અન્યતત્ત્વ વહે તે અધમફળ જાણવું. જમણી નાસિકામાં જે પૃથ્વી અને જલતત્ત્વ વહે તો મધ્યમ ફળ થાય. એ ત્રણમાં એક શુભ અને એક અશુભ હોય તો મધ્યમ ફળ થાય, એમ ત્રણ રીતમાં જાણવું. - સર્વ પરીક્ષાના ભાવમાં મેષભાવ બળવાન છે, તે દીવસે બરાબર તત્વ દેખીને નિશ્ચય કરવો. जोनारनेमाडे तत्व. જેનારને પોતાને માટે તત્ત્વને વિચાર કહેવામાં આવે છે. ચિત્ર શદી એકમના દિવસે જે ડાબી નારિકા વહે તો તેને ત્રણ માસમાં અત્યંત ઉગ થાય. મધુમાસ શુદી બીજના દિવસે જે ડાબી નાસિકા ન વહે તો પરદેશમાં ગમન થાય અને ત્યાં દુઃખ થાય. ચૈત્ર માસ સુદી ત્રીજના રોજે ચંદ્રસ્વર (ડાબી નાસિકા) ન ચાલે તે પિત્તજવરની ઉત્પત્તિ થાય. ચૈત્ર શદી ચોથના રોજ ને ડાબી નાસિકા ન ચાલે તો નવમાસમાં મરણ થાય. ચૈત્ર સુદ પાંચમના રોજ ડાબી નાસિકા ન રહે તે રાજ્યદંડ થાય. ચિત્ર શુદી છઠના દિવસે જેને ચંદસ્વર ચાલે નહિ તેનો એક વર્ષમાં બાંધવ મરી જાય. જે ચિત્ર શુદી સાતમના રોજ લેશમાત્ર પણ ડાબી નાસિકા ન રહે તો હેની સ્ત્રી મરી જાય. ચિત્ર શુદી આઠમના રોજ જે ચસ્વર ન વહે તે અત્યંત પીડા દેહમાં થાય, ભાગ્ય હોય તો જ સુખ થાય. ચૈત્ર સુદ આઠમસુધી એમ ફળ દેખાડ્યું પણ છે ચંદસ્વર વહે તે નઠારા ફળને બદલે સારું ફળ થાય. पांच तत्त्वमा प्रश्न. જલ અને પૃથ્વીતત્વના ચોગમાં કોઈ પ્રશ્ન કરે તે વખતે ચંદ્રસ્વર પૂર્ણ વહે તો હેના કાર્યની સિદ્ધિ થાય. જે ડાબી નાસિકામાં અગ્નિ, વાયુ અને આકાશતત્ત્વ વહે તે પ્રશ્ન કરતાં કાર્યસિદ્ધિ થાય નહીં. ડાબી નાસિકામાં જલ અને મહતત્ત્વ એ સ્થિર કાર્ય માટે સારાં જાણવાં. ચરકાર્ય માટે લેવાં નહિ. વાયુ, અગ્નિ અને આકાશ એ ત્રણ તત્ત્વ ચરકાર્યમાં પ્રધાન છે. જે જમણી નાસિકામાં સ્વર વહેતો હોય અને તેમાં વાયુ વગેરે તો વહેતાં હોય તે એમ સમજવું. રોનો પ્રશ્ન. રોગીના સંબંધી કોઈ પ્રશ્ન પૂછે તે તત્ત્વ વિચારીને નીચે પ્રમાણે કહેવું. ડાબી નાસિકામાં પૃથ્વીતત્ત્વ વહેતું હોય અને તે દિશામાં રહી પૂછે તે નિશ્ચય કરીને કહેવું કે રોગીને નાશ થવાનો નથી. ડાબી નાસિકા બંધ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy