________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૨ )
નિન્દા વગેરે દોષોને મૂકતા નથી. કેટલાક પરમાત્માના નામે આજીવિકા ચાલે એમ લક્ષી પરમાત્માનું ભજન સ્મરણ કરે છે. આવા મનુષ્યો પરમાત્માનું ભજન સ્મરણ કરે તો પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એવા લક્ષ્યના અભાવે ઉચ્ચ કોટીના ઉત્તમ સાધક થઈ શકતા નથી, માટે પરમાત્માના સ્વરૂપનું સૂમબુદ્ધિથી જ્ઞાન કરી નિષ્કામવૃત્તિથી પરમાત્મરૂપ થવા માટે પરમાત્માનું મરણ કરવું યોગ્ય છે.
- परमात्मानुं स्मरण. સાત નય અને સપ્ત ભંગી તેમજ ચાર નિક્ષેપાથી પરમાત્માનું સ્વરૂપ જાણી પરમાત્મ પ્રાર્થ પરમાત્મમય, મનોવૃત્તિ કરવી. ધારણા અને ધ્યાનમાં પરમાત્માનું સમ્યગૂ સ્વરૂપ ધારવું, તન્મય બનીને પરમાત્માનું સ્મરણ કરવું, મનમાં ઉઠતા વિકલ્પ સંકલ્પો બંધ કરવા. અનેક દુનિયાનાં કાર્ય, કર્મચોગે કરવાં પડે તો પણ પરમાત્માના સ્વરૂપની સાધ્યદશામાં ધન રાખવી. પરમાત્માના મરણમાં પ્રસંગ પામી મનમાં ઉઠતા વિક્ષેપોને સમાવવા, પરમાત્મસ્વરૂપમાં સ્થિર મનોવૃત્તિ રાખીને બોલ્યા વિના પરમાત્માનું સ્મરણ કરવું. કદાપિ તેમ ન રહેવાય તો પરમાત્માના ગુણોનાં સ્તવનો અને પદો ગાઈને પણ પરમાત્માનું સ્મરણ કરવું. ભજન સંગ્રહ દ્વિતીય ભાગમાં કહ્યા પ્રમાણે પરમાત્માની નવધા ભક્તિથી પોતાના અસંખ્ય પ્રદેશના ધર્મમાં પોતે (આત્મા) રહી શકે છે, અને એમ વર્તવાથી ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિકભાવમાં આત્મા પ્રવેશે છે. સાધક દશામાં ઉપશમ અને ક્ષયોપશમભાવથી ક્ષાયિકભાવે સર્વ ગુણે થતાં આત્મા પોતે પરમાત્મરૂપે સાદિ અનંતમે ભાગે થાય છે.
પરમાત્મ સ્મરણનો અભ્યાસ પ્રતિદિન વધારતા જવું. પરમાત્મ સ્મરણ કરનારાઓએ દુર્જનોની સંગતિ ત્યજવાની જરૂર છે, તેમજ મનુષ્યોના શુભ અને અશુભ શબ્દોમાં સમતા રાખી પરમાત્મસ્વરૂપ સ્મરણ કરવાની આવશ્યકતા છે. દુનિયા દીવાની ગમે તેમ કહે તે પણ પરમાત્મસ્વરૂપ મરણરૂપ રણાંગણમાંથી પાછા નહિ ફરતાં હિંમતથી રાગાદિ દોષોને હઠાવી પરમાત્મમરણમાં આગળને આગળ વધવું; એમ કરવાથી આનન્દની ખુમારી પ્રાપ્ત થાય છે.
પરમાત્મસ્વરૂપ સ્મરણાર્થી જીવોએ સૃષ્ટિના સૌન્દર્ય પદાર્થની લીલાઓને સ્વમસમાન માનવી. અર્થાત્ બાહ્યના પદાર્થોને સ્વવત્ ક્ષણિક જાણી તેમાં રાચવું નહિ, તેમજ તેમાં ચિત્તવૃત્તિ દેવી નહિ. બાહ્યપદાર્થોમાં રાગ અને દ્વેષથી દૃષ્ટિ દેવાથી પરમાત્મસ્વરૂપ સ્મરણ યથાયોગ્ય થઈ શકતું નથી. અને ઉલટું મનની નીચદશા થતાં પરમાત્મસ્મરણમાં ચિત્ત ચોંટતું નથી. માટે ભવ્યજીવોએ બાહ્યભાવોમાં દ્રષ્ટિ દેવી નહિ. બાહ્યભાવમાં દ્રષ્ટિ ન દેવાથી પર મામસ્મરણ અવિચ્છિન્ન ધારાથી બન્યું રહે છે. આ પ્રમાણે સાધક કહે છે કે, બાહ્યપદાર્થોમાં દષ્ટિ ન દેતાં પરમાત્મસાધ્યલક્ષ્યથી હું પરમાત્માને સ્મરું છું.
For Private And Personal Use Only