SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૧. ) અહો આ મસામર્થ્યથી મહારાવડે કયું કાર્ય સાધ્ય ન થઈ શકે ? અર્થાત સર્વ થઈ શકે. દુનિયાનાં કાર્ય સાધ્ય કરવાં એમાં કિંચિત પણ આત્મસુખ નથી માટે આત્માનું સહજ અનન્તસુખ પ્રાપ્ત કરવું તેજ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખી હું ઉભો થયું છે, અર્થાત અનઃસુખમય પરમાત્મપદ સાધવા ઉદ્યમી થયો છું. ધારણા, ધ્યાન, અને રામાધિ પણ પરમાત્મપદની છે. પ્રત્યાહાર પણ પરમાત્મપદ માટેજ છે. માટે હવે હું ઉત્સાહભ થયો છું. પરમા-પદ પ્રાપ્ત કરતાં કપાયાદિ મનમાં ઉદ્ભવશે તેપણ હે નાશ કરવાનું જ સાધ્યબિંદુ લક્ષમાં રાખીશ. જિનવાણી અનુસાર ઉદ્યમથી પરમામદ પ્રાણ કરવા ઉત્સાહી બનું છું, એમ સાધકના ઉત્સાહ ઉદ્ગારો પરમાત્મપદ પ્રાપ્તિ માટે સાધક અવસ્થામાં નીકળે છે. સાધક વિશેષત: અનંતસુખમય શિવપદ સાધવા પ્રતિજ્ઞા જણાવે છે. વા: लक्ष्यसाधकबुद्ध्या वै, परमात्मानं स्मराम्यहं । स्वप्नवद बाह्यभावपु, दृष्टिया न कुत्रचित् ॥ ५५॥ શબ્દાર્થ:--લક્ષ્યસાધકબુદ્ધિથી પરમાત્માને મરું છું. ખરેખર સ્વમરામાન ક્ષણિક બાહ્યપદાર્થોમાં દષ્ટ દેવી કદાપિ યોગ્ય નથી. ભાવાર્થ: --પરમાત્મપદ લક્ષ્ય અવધીને તત્સાધક બુદ્ધિથી જ હું પરમાત્માને સમરું છું, પરમાત્માનું ધ્યાન ધરું છું, પરમાત્મલક્ષ્યપદ રાખી, તેને સાધવાની બુદ્ધિથી પરમાત્માનું સ્મરણ કરવાથી, બાહ્યવૃત્તિયોનો નિરોધ થવા ઉપરાંત, અન્નમુખવૃત્તિ થાય છે અને આમા પોતે પરમાત્મરૂપ બને છે. અન્ય કચિત જને પરમા માને ભજે છે પણ પરમાત્મપદ સાધ્યદશાને વિ સ્મરી જઈ સાંસારિક વાસનાઓના કીટક બને છે અને પરમાત્મસ્મરણનું કાર્ય, બાહ્યવાસનાઓની વૃદ્ધિને ગણે છે. પરમાત્મપદલજ્ઞાનના અભાવે કેટલાક પરમાત્મા, એવા શબ્દો ફોનોગ્રાફની પિંડ ઉચ્ચારે છે; પરમાત્માનું પરિપૂર્ણ સ્વરૂપ રામજ્યા વિના સુકની માફક પરમાત્મા પરમાત્મા એમ બોલ્યા કરે છે અને વૈષયિસુખની માંગણી કરે છે. પોતાના શત્રુઓને ક્ષય ચાઓ એવી પરમાત્માના મરણની સાથે પરમાત્માની પ્રાર્થના કરે છે; એવા અજ્ઞ જનો સાથદશાના નાનના અભાવે ઘાંચીની ઘાણીના બળદની પેડે ચતુર ગતિરૂપ સંસારમાંથી છૂટી શકતા નથી. કેટલાક દેવલોકનાં સુખ ભોગવવાં એજ સાધ્ય લક્ષી પરમાત્માનું સ્મરણ કરે છે, કેટલાક સુંદર સ્ત્રીઓની પ્રાપ્તિ તથા માનપ્રતિષ્ઠાના ઉદ્દેશથી પરમાત્માનું સ્મરણ કરે છે, કેટલાક પરમાત્માને લક્ષણથી રામજ્યા વિના શબ્દથી પરમાત્મા પરમાત્મા એમ બોલી સ્મરણ કરે છે. કેટલાક પરમાત્માનું મરણ કરે છે, પણ રાગ, દ્વેષ, ક્રોધ, અને ચી. '\' For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy