SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) છે. યાગનું ઉચ્ચ ચારિત્ર ધારણ કરીને યાગી બનેલા જૈન સાધુ, જૈન શાસનનો અનેક ઉપાયાથી ઉદ્ધાર કરવા સમર્થ થશે. આત્માનું અનુપમેય અળ વધારવું હોય તો, હે ભવ્ય જીવો ! યાગમાર્ગનું અવલંખન કરો ! જૈન ગુરૂકૂળો સ્થાપીને તેમાં ચેાગવિદ્યાના અભ્યાસથી વિદ્યાર્થીયામાં આત્મખળ પ્રકટાવવા પ્રયત્ન કરો. યાગનું પ્રથમ પગથીયું યમ છે, તેની ખરાબર આરાધના કરી કે, જેથી યાગના મીજા, ત્રીજા આદિ પગથીયાપર ચઢી શકાય. ધ્યાન, સમાધિ, આદિ ચાળના અંગોમાં પ્રવેશ કરનારા સાધુઓ, ઉદાર ચિત્તવાળા બની, સ્વપર કલ્યાણ કરવાને સમર્થ બને છે, ચૈાગના માહાત્મ્યનું વર્ણન કરવા પરિપૂર્ણ કોઈ સમર્થ થઈ શકતું નથી. ચેાગના પ્રતાપથી અનેક લવનાં કરેલાં કર્મ, કાચી એ ઘડીમાં ક્ષય કરી શકાય છે અને અંતે કેવલ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે, માટે ખાઘયાગની શુદ્ધિ કરીને આન્તરિક યાગની શુદ્ધિ કરવી જોઇએ. મન, વચન અને કાયાના અશુભ યોગોનો ત્યાગ કરીને મન, વચન અને કાયાના શુભ ચોગો કરવા; એજ યાગનું પ્રથમ પગથીયું છે; તે જેણે આદર્યું છે તે મનુષ્ય, ઉપર ચઢવાના અધિકારી બને છે. યાગનું પ્રથમ પગથીયું ત્યાગ કરીને, જેઓ એકદમ ઉપરના પગથીયાપર ચઢવાનો પ્રયલ કરે છે, તેઓને અન્તે પાછા ફરી, પંચમહાવ્રતરૂપ યમની આરાધના કરવી પડે છે, કેમ કે પાયાવિના મહેલ ટકી શકતો નથી; જેમ પવના મનુષ્ય ઉભો રહી શકતો નથી, તેમ પંચ મહાવ્રતરૂપ યમ વા નીતિ વિના કોઈ પણ ચેાગી ઉપરની ભૂમિકામાં પ્રવેશ કરવા પ્રયત કરે છે તો તે પુનઃ પસ્તાઇને, વા અનુભવ લેઇને પણ વ્રતોને અંગીકાર કરે છે. હૃદય દયાથી પૂર્ણ હોય, સત્યથી વાણી શોભતી હોય, અસ્તેય વ્રતની સારી રીતે આરાધના થતી હોય, બ્રહ્મચર્યથી આત્મા ઉચ્ચ અન્યા હોય, પરિગ્રહનો ત્યાગ થા હોય, ત્યારે મનુષ્ય, યેાગની પ્રથમ ભૂમિકાને દઢ કરીને, માનસિક ક્રોધાદિક દોષો હઠાવીને, પરમાત્મ પ્રભુની આરાધના કરવાને, ઉત્તમ અધિકારી મની શકે છે. તેવો ઉત્તમ મનુષ્ય યોગની ધર્મક્રિયાઓને અધિકાર પ્રમાણે કરે છે અને અલ્પ બુદ્ધિવાળા જીવો, પોતાના અધિકાર તથા રૂચિ પ્રમાણે ક્રિયાઓ કરે છે, નાની તેઓની બુદ્ધિમાં ભેદ વા સંશય ઉત્પન્ન કરતો નથી, પણ બાળજીવો પોતાના અધિકાર પ્રમાણે જે જે ક્રિયાઓ કરે છે, તેમને, તેમના અધિકાર પ્રમાણે ધર્મક્રિયાઓના ઉદ્દેશોને સમજાવીને તેઓને ક્રિયામાર્ગમાં સ્થિર કરે છે અને ઉપરના અધ્યાત્મજ્ઞાનાદિ માર્ગમાં ચઢાવવાને પ્રયત્ન કરે છે. ચાગીનો અધિકાર બળ જીવોના અધિકાર કરતાં જુદો હોય છે. યાગની સાધના ગૃહસ્થાવાસમાં અને સાધુ અવસ્થામાં થઇ શકે છે, પણ ગૃહસ્થ કરતાં સાધુ અવસ્થામાં ચેગની આરાધના અનન્ત ગણી સારી રીતે થઇ શકે છે. સાધુ અવસ્થામાં યોગની સાધના મુખ્યતાએ સાધવાની હોય છે. ગૃહસ્થે, ગૃહસ્થ For Private And Personal Use Only
SR No.008688
Book TitleYogadipak
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy