________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૬
હવે નિત્યત્ર મતને જણાવીને તેના મત દૂર કરતા આચાર્ય મહારાજ જણાવે છે——
एवमेकान्त नित्योऽपि हन्तात्मा नोपपद्यते । स्थिरस्वभाव एकान्ताद्, यतो नित्योऽभिधीयते ॥ ४७८ ॥
અ—એવી જ રીતે આત્માને એકાંત નિત્ય માનવા તે પણ સિદ્ધ થતું નથી, કારણ કે જેને એકાંત સ્થિર સ્વભાવ હોય તે નિત્ય કહેવાય. ૪૭૮
વિવેચન—એવી રીતે આત્માને એકાંત નિત્ય જે વેદ્યાંતિકા માને છે તે પણ ચેાગ્ય નથી. જેવી રીતે ખોદ્ધો એકાંત અનિત્ય આત્મા કહે છે તે પણ ચેાગ્ય નથી. કારણ કે નિત્ય માનતાં તેમાં સમ્યગ્ રીતે ક્રિયાકારિત્વ એટલે નવા નવા પરિણામેાની પરાવૃત્તિરૂપ પર્યાયત્ત્તતા સિદ્ધ થતી નથી. જો આત્માના એકાંત નિત્ય એટલે સ્થિરરૂપ એક જ સ્વભાવ હાય તા સંસારી ભાવના ત્યાગ કરી તે મુકત સ્વરૂપ ભાવને કેવી રીતે પામે ન જ પામે. કારણ કે પૂર્વના સંસારિત્વ સ્વભાવને ત્યાગ કર્યા વિના સિદ્ધત્વ ન પામે. કહ્યું છે કે—
::
""
" अच्युतानुत्पन्नस्थिरस्वभावो हि नित्यम् ।
જેની નવા પિરણામ રૂપે ઉત્પત્તિ અને જુના રૂપે નાશ ન થાય પણ નિરંતર એકજ સ્વભાવે સ્થિર રહે તે નિત્ય કહેવાય છે આવે! જો એકાંતથી નિત્ય આત્મા હૈાય તે સંસારની વ્યવસ્થા ઉંચ, નીચ, શેઠ, ચાકર, સ્ત્રી, પુરૂષ,
For Private And Personal Use Only