________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૬
વિવેચન–અમારા જેન અનેકાંત દર્શનમાં આત્માનું સ્વરૂપ અનુવૃત્તિવાળું એટલે અન્વય સ્વભાવવાવું માનેલું છે, તેથી તે આત્મામાં ઉત્પાદ સ્વભાવ, વિનાશ સ્વભાવ તથા ધવત્ર સ્વભાવ ઘટે છે, તે આવી રીતે-નવા સ્વરૂપ (પર્યાય)ને ઉપજવાની કિયા (3) જુના સ્વરૂપને વિનાશની ક્રિયા અને નવા નવા ઉત્પાદમાં અને જુદા જુદા વરૂપના નાશમાં સર્વદા અનુયાયિરૂપે અનુસરનારે ધ્રુવવ (નિત્યત્વ) ભાવને ધરનારે દ્રવ્ય સ્વરૂપે આત્મા છે, એટલે એક એક એમ સર્વ આત્મા અનેક સ્વરૂપને ભૂત ભાવિ કાલમાં પામવાને, તથા તે બધા સ્વરૂપમાં સર્વદા અનુગમન કરનારે કથંચિત ધવ સ્વભાવને પામતે હોવાથી અનેક પ્રકારના વિચિત્ર સ્વભાવને ધરનારો આત્મા છે, તે અમારા સ્યાદવાદના સિદ્ધાંતથી જણાવ્યું છે, પણ એકાંતથી નિત્ય એટલે નાશ અને ઉત્પત્તિ રહિત જે હાય, હંમેશાં એકજ સ્વરૂપને પામનારો હોય તે નિત્ય-ધ્રુવ કહેવાય. તેવું ધવત્વ એકાંતથી અમે નથી માનતા, તે કારણે અમારે નિત્યવાદીની પેઠે આત્માને ફૂટસ્થ માનવા રૂપ દોષ નથી આવતે– “અચ્છતા ૫રિચિવામાવો નિત્ય તા”
એ પ્રમાણે નાશ ન પામે, ઉત્પન ન થાય અને સદા એક સ્વભાવે કાયમ રહે તે નિત્ય કહેવાય એમ જે અદ્વૈતવાદીઓ માને છે તેવા પ્રકારને અમે નથી કહેતા, પણ
વિશ્વયુ હત” આથી એકાંત નિત્યતાને નિષેધ કરતા હોવાથી આત્માને
For Private And Personal Use Only