SearchBrowseAboutContactDonate
Page Preview
Page 684
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનવડે પ્રત્યક્ષ જણાતી નથી તેવા વર્ગ, અપવર્ગ–મોક્ષ, નરક, નિદ, દ્વીપ, સમુદ્ર વિગેરે સૂમ બાદર સર્વ પદા થને યથા સ્વરૂપે દ્રવ્ય પયયની વહેંચણીથી સમયે સમયે પ્રત્યક્ષ જાણે છે અને દેખે છે. ત્યાર પછી જેમાં પરીક્ષા કરતા સુવર્ણની જેમ કષ, છેદ તથા તાપથી સ્વાભાવિક શુદ્ધતા અનુભવાય તેવી રીતે પરીક્ષા કરતાં પ્રમાણથી શુદ્ધ સત્યતા યુક્ત દેશના ભગવાન વીતરાગ સર્વજ્ઞો આપે છે. તેમાં વસ્તુ પદાર્થને પ્રગટ કરતા માતૃકપદ કે જેનાથી એકવચન, દ્વિવચન, બહુવચનનું પણ પ્રગટ જ્ઞાન શ્રોતાને થાય તેમજ સર્વ દેશ, ગ્રામ, નગરવાસી નરનારીઓ તથા પશુ પક્ષીઓ પણ સ્વભાષાથી સમજી શકે. જંગલમાં વસનારા જંગલીઓ અને અનાર્ય દેશમાં વસનારા અનાર્યો, સત્ય સંસ્કૃતિ વિનાના લોકો પણ પરમાત્માની દેશના વડે સવિવેક વિય અને પદાર્થના યથાર્થ સ્વરૂપને સમજે તેવીજ રીતે દેશના-ઉપદેશ આપે છે, અને તેથી જીવને સમ્યદર્શન જ્ઞાન થાય છે, તે પરમાત્માના ઉપદેશેલા વચનેને સંગ્રહ કરનારા મહા બુદ્ધિવંત ગણધર મુનિવરે તે દેશનાથી દ્વાદશાંગી-બાર અંગની રચના કરે છે, તથા અંગ વિભાગની વ્યાખ્યા રૂપ ઉપાંગ રૂ૫ આગમ શાસ્ત્રો વિગેરે ભેદ પ્રભેદ ગ્રંથની રચના કરીને જગતના જીને અસં. ખ્યાત કાલ સુધી મોક્ષ માર્ગમાં સારી રીતે ગમન થાય તેવું પ્રવચન પ્રવર્તાવે છે, તે દેશના તેજ આગમ જાણવું. કારણ કે પ્રભુના તે વચન સમુહ-કુવાદિઓની કુયુક્તિ વડે જરા પણ બાધિત થઈ શકતા નથી. આથી તે વીતરાગ For Private And Personal Use Only
SR No.008687
Book TitleYogabindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1950
Total Pages827
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy