________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ समाधिरेष एवान्यः, सम्पज्ञातोऽभिधीयते । सम्यक्प्रकर्षरूपेण, वृत्त्यर्थज्ञानतस्तया ।। ४१९ ॥
અથ–આ સમાધિ વેગને અન્ય દનકારે સંપ્રજ્ઞાત વેગ કહે છે. કારણ કે જેમાં યથાર્થ ઉત્કૃષ્ટ રૂપથી યુક્ત પર્યાયે વર્તે છે. તેવા જ્ઞાનથી યુક્ત આ સમાધિ છે. ૪૧૯
વિવેચન–આ જે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય એમ ાગના પાંચ ભેદ કહ્યા છે, તેમાં ચાથા સમતા યોગને પતંજલિ મહર્ષિ વિગેરે અન્ય મતાથી યોગીએ સંપ્રજ્ઞાન સમાધિગ કહે છે. કારણ કે એ સમતા ચોગમાં વસ્તુ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રગટપણે વતે છે. તેના યોગે સવિતર્ક એટલે દરેક દ્રવ્યોમાં ગુણ પર્યાયની જે વર્તના છે, તેના ભેદ પ્રભેદની સવિક૯૫ વિચારણુ રૂપ શુકલ
ધ્યાનના પ્રથમ પાયાની પ્રવૃત્તિ ચાલે છે. તે વડે નર, નારક તિયચ, દેવ વિગેરે આત્માઓના તથા દ્વીપ, સમુદ્ર વિગેરેની હાનિ વૃદ્ધિરૂપ જ્ઞાનના વિકલ્પ ઉત્કૃષ્ટ ભાવે વતે છે આવી અત્યંત સૂક્ષ્મ ભાવના વિચારની વૃત્તિ પૂર્વ તત્ત્વજ્ઞાનના યોગેજ થાય છે, અને આત્મસ્વરૂપ અને પરમાત્મ સ્વરૂપના અભેદ રૂ૫ જ્ઞાન ગુણ પયયની એકત્વ ભાવ રૂ૫ અવિતર્ક સમાધિ રૂપ શુક્લ ધ્યાનને બીજે ભેદ ધ્યાવે છે, તેથી આ સમાધિ રાગદ્વેષના ક્ષયરૂપ સમતામય હોવાથી સંપ્રજ્ઞાન સમાધિ ચોગ કહેવાય છે. ૪૧૯
આ સંપ્રજ્ઞાન સમાધિનું ફલ જણાવતાં કહે છે કે –
For Private And Personal Use Only