________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩ હવે જેવી રીતે વસ્તુને કમ અને ઉદ્દેશ બતાવ્યા તેવી રીતે ગોચર વિગેરેની શુદ્ધિ રૂપ નિર્દેશને બતાવતા છતાં પૂજ્યશ્રી જણાવે છે – आत्मा तदन्यसंयोगा-संसारी तद्वियोगतः । स एव मुक्त एतौ च, तत् स्वाभाव्यात्तयोस्तथा ॥६॥
અર્થ:–આત્મા–જીવ તેનાથી અન્ય-પુદ્ગલ સંયોગથી સંસારી કહેવાય છે. અને તે પુગલના વિયોગથી તેજ આત્મા મુક્ત થાય છે. કારણકે તેજ આત્માને મુખ્ય સ્વભાવ છે. દ
વિવેચન–આત્મા–જીવ જ્યાં સુધી પિતાનાથી અન્ય જે પુગલ-ઈ દ્રિ-મન–શરીર, તથા જ્ઞાનાવરણીય વિગેરે કર્મને સંગ હોય ત્યાં લગી સંસારી કહેવાય છે. આથી એમ સિદ્ધ થાય છે કે આત્મા ચેરાસી લાખ જીવનમાં દેવ, મનુષ્ય, નારકી અને તિર્યંચ રૂપે ભમતો રહે છે, ત્યાં લગી સંસારી કહેવાય છે. જીરને સસારીત્ર હોવાનું કારણ મિથ્યાત્વે. અવિરતિ, કષાય અને વેગ રૂપ આશ્રવ છે. જેમ કે ખાણમાં રહેલું સુવર્ણ માટી રૂપ મલથી યુક્ત હોવાથી મુખ્ય સુવર્ણની દશાવાળું નથી, પણ પાણી ખાર વિગેરેના સંસર્ગથી કેટલેક અંશે શુદ્ધ થયા પછી જ્યારે અગ્નિથી સર્વ મેલ નાશ પામે છે ત્યારે કંમતી દેદીપ્યમાન સુવર્ણ પ્રગટ થાય છે. પૂજ્ય ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર જણાવે છે કે-“આમ કર્મ સંબંધ છે, અનાદિને હે રાજ કનક દાંત કે, અનાદિસાંત ભવ્ય આશ્રયી, અભવ્યને હૈ, કહું સુણે વૃત્તાંત કે, જિનવાણી ચિત્ત આણીએ.” આત્મા અને
For Private And Personal Use Only