________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૪
અથ—અંધને રૂપ દેખાડવાનું અને તેને નિશ્ચય કરાવવાનું અસ્થાને છે, નકામુ છે. તેમ આપણા જેવા છદ્મસ્થ કે જેને દિવ્યદ્રષ્ટિ નથી તેઓને ઇંદ્રિયથી અગોચર વસ્તુને વિવાદ કર અગ્ય છે તેમ સમજવું. ૩૧૫
વિવેચન–આંખથી જોવાને વ્યાપાર જેમનાથી નથી બની શકતો, તેવા અંધ કેને આ લાલ છે, પીળું છે, આ લીલું છે કે આ ધળું છે તેવા સ્વરૂપને નિશ્ચય નથી કરાવી શકાતે, તેથી તે માટે પ્રયત્ન કરવો નકામે છે. પરંતુ જેને વિકાસવાળી પ્રફુલ્લ આંખે હોય તેને રૂપાદિકને નિશ્ચય કરાવાય છે, તેમ અંધને રૂપનું દર્શન અને નિશ્ચય કરાવવાનો પ્રયત્ન નકામે છે. તે ન્યાયે આપણા જેવા છદ્મ
સ્થ કે જેને અચર વસ્તુને બંધ કરવાની યથાર્થ શક્તિ નથી, માત્ર ઇંદ્રિયેથી બહારના પદાર્થો જાણવા–દેખવાનું અભિમાન ધરે છે, તેવા મનુષ્યને ઇંદ્રિયોથી અને મનથી પણ અગોચર–અપ્રત્યક્ષ એવા આત્મા, પરમેશ્વર, કર્મ વિગેરે પારમાર્થિક પદાર્થોના સ્વરૂપને પ્રત્યક્ષ ભાવે નિશ્ચય કેવી રીતે કરાવાય ? ફક્ત પરમાર્થ દષ્ટિને જગાડનારી આ પક્ષ પાતવાળી ન્યાયની યુક્તિ રૂપ અનુમાન પ્રમાણુવડે જ તેને નિર્ણય થાય તેમ છે. ૩૧૫
જે છઘસ્થથી અતીંદ્રિય વસ્તુને નિશ્ચય ન જ બને તે તેને ઉપદેશ કરવાને કેવી રીતે મેગ્ય હોય? તેને ઉત્તર આપતાં જણાવે છે –
हस्तस्पर्शसमं शास्त्रं, तत एव कथंचन । अत्र तनिश्चयोऽपि स्यात्, तथा चन्द्रोपरागवत् ॥३१६॥
For Private And Personal Use Only